SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) આપવાનું વચન આપવા સાથે રાજય સાથે ઘણું જ સારે. સંબંધ બંધાયે જે ઉત્તરેત્તર વિકસિત થતો ગયો. ડે. બ્રાઉન, મીસ જેન્સન અને ડે. કાઉઝ (સુભદ્રાદેવી) જેવા વિદ્વાને તો ત્યાં અભ્યાસ કરવા આવેલા, ડે. કાઉોએ સાત-આઠ વર્ષ સુધી આગને અભ્યાસ કરવા સાથે જૈનેના વતો પણ ગ્રહણ કરેલા. અને તેથી સંસ્થાની ખ્યાતિ ખૂબ જ વધી ગઈ હતી. સંસ્થાને વાષિક મેળાવડે પણ પૂ. મહારાજશ્રીના પ્રયત્નથી બહુ જ ઉચ્ચ કેટિન અને ભવ્ય રીતે થતો. પ્રમુખ તરીકે બહારથી કઈ શિક્ષણપ્રેમી પ્રસિદ્ધ પુરુષને બોલાવવામાં આવતા અને ગ્વાલિયર સ્ટેટની કાઉન્સીલના પણ લગભગ બધા મેમ્બરે હાજર રહેતા. સંસ્થાના સ્થાનિક બાહોશ સેક્રેટરી શેઠ ટોડરમલજી ભાંડાવત શેઠ કાનમલજી સાંકલા પણ પૂર્ણ જેહમત ઉઠાવતા. જેમાં સંસ્થાની પ્રગતિના વિવેચન સાથે ઉત્તીર્ણ વિદ્યાથીઓને પદવી પણ આપવામાં આવતી. હિંદુના રખેવાલ દયાનંદ સરસ્વતી પછી જેમ સ્વામી શ્રદ્ધાનંદ થયા. તેવી જ રીતે જૈનધર્મના રખેવાલ આચાર્ય વિજયધર્મસૂરીજી પછી પ્રખર વક્તા મુનિરાજશ્રી વિદ્યાવિજયજી થયા, એમ મને લાગે છે. ઈ. સ. ૧૯૩૨ની વાત છે. અમદાવાદમાં સંગી સાધુઓનું એક મેટું સન્મેલન ભરાવાયું હતું. મેટા ભાગના સાધુઓ તેમાં સમ્મિલિત થવા અમદાવાદ ભણી પ્રસ્થાન કરી ચૂકયા હતા. તે વખતે સમાજમાં ચર્ચાનો વિષય બનેલા અગ્ય બાળ દીક્ષા, દેવદ્રવ્ય, એકલવિહારી સાધુઓ વિગેરે સંબંધી અતિહાસિક નિર્ણય લેવાના હતા.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy