SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ કરણમાં નિત્ય ક્રિયા કરવાનો પ્રસંગ અને ક્રિયાની નિષ્ફળતા છે કરેલ જ હોવાથી. હવે જો કરેલું પણ કરાય તો કરણની પરિનિષ્ઠા નથી, કૃતત્વ સામાન્યથી પણ વૃત્તિ દિયે એમ કહેતાં વસ્તુનું સર્વદા સત્ત્વ માનેલું થાય, જે સર્વદા સત્ છે તે આકાશવત્ નિત્ય છે. અને નિત્ય વસ્તુમાં એ અકૃત છે, કૃત છે કે ક્રિયમાણ છે એવો વ્યપદેશ થતો નથી. એમ કરવામાં નિત્યની અનિત્ય થવાની આપત્તિ આવે છે. હવે અમૃતપક્ષ :- સર્વથા ન કરાય અત્યંતાભાવ હોવાથી ખપુષ્પવતું અથવા સૂત્રમાં સવિશેષતર નિત્યક્રિયાદિ દોષો જણાવ્યા છે તે મુજબ હવે ક્રિયમાણ કરાય તોતે વસ્તુ સત્ કે અસત્ કલ્પાય? જો સત્ તો કૃપક્ષમાં કહેલા સર્વદોષો આવે છે અને અસત્ત્વપક્ષમાં અકૃતપક્ષના દોષો છે. હવે જો સદસતું કરાતું મનાય તે પણ બરાબર નથી. ઉભયપક્ષમાં કહેલા દોષો આવે છે. એટલે સર્વથા સામાયિક કરાય નહિ તો તેનું કરણ ક્યાંથી? ઉત્તર-૧૧૫૬ – સર્વથા સામાયિક ન કરાય એવો જે તું નિષેધ કરે છે તેમાં પણ આ તો સમાન જ છે કે એ કૃત કરાય, અકૃત કે ક્રિયમાણ કરાય ઉક્તન્યાયની તો તે પણ સર્વથા ન કરાય. એટલે પ્રતિષેધાભાવે કોણે સામાયિકનો નિષેધ કર્યો ? કોઈએ નહિ એટલે એ કરાય જ. હવે જો આ પ્રતિષેધવચન કહે તે કૃત પણ સત્ નકૃત અકૃત સત ન કૃત કે ક્રિયમાણપણ ન કૃત તો પણ કોઈક ઉચ્ચારણાદિ પ્રકારે હોય. જેમ કોઈપણ રીતે તે પ્રતિષેધવચન કર્યું તથા સામાયિક પણ કોઈ રીતે કરાયું તો ત્યાં પણ તું શું દોષ આપે? નૈગમાદિ નય મતે – દ્રવ્યાર્થિક રૂપ અશુદ્ધનયોના મતે અકૃત સામાયિક છે, આકાશ જેમ નિત્ય હોવાથી, શુદ્ધ-નિશ્ચયનયરૂપ ઋજુસૂત્રાદિનું તે ઘટની જેમ કૃત છે અને સિદ્ધાંત મતે એકાંતે કૃત સામાયિક કરાતું નથી કે એકાંતે અકૃત કરાતું નથી પણ કૃતાકૃત કરાય છે અથવા સિદ્ધાંત સ્થિતિથી વિવક્ષાવશાત્ કૃતાદિ ૪ ભાંગાઓથી કોઈ વસ્તુ કરાય અને કોઈ ન કરાય. કોઈ કાર્ય કોઈ રૂપે કત કરાય છે, કોઈ અકૃત કરાય છે, કોઈ કૃતાકૃત કરાય છે, અથવા કોઈ ક્રિયમાણ કરાય છે અને કોઈક તો ૪માંથી એક રીતે નથી કરાતું જેમકે દૃષ્ટાંત- (૧) પૂર્વે કૃત જ ઘડો તરૂપે કરાય છે. મૂર્તિડા વસ્થામાં પણ રૂપાદિનો સદ્દભાવ હોવાથી સંસ્થાન-જલાહરણશક્તિથી પૂર્વ અકૃત કરાય છે. રૂપ અને સંસ્થાનશક્તિ એ બંને રૂપે પણ વિવક્ષિત એ પૂર્વે કૃતાકૃત કરાય છે. ઉત્પત્તિ સમયે કરાતો ક્રિયમાણ કરાય છે, પૂર્વે નિષ્પન્ન ઘટ, ઘટ પર્યાયથી કરાતો નથી. પરપર્યાયો પટાદિધર્મોથી પૂર્વે અમૃત ઘટ નથી કરાતો. પરપર્યાયો દ્વારા વસ્તુ કરવી શક્ય નથી અને ક્રિયમાણ ઉત્પત્તિસમયે કુંભ પટતયા નથી કરતો, એમ સર્વે કૃતાદિ પ્રકારે કુંભ નથી કરાતો. આ રીતે યથાકથિત વિવક્ષાથી વસ્તુ ક્રિયમાણ-અક્રિયમાણ કહી અથવા અન્ય વિવક્ષાથી તે બતાવે છે..
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy