SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૧૦૮૨ – ના, કારણ કે મોદ્ધયઃ એવો પદાર્થ કહેતે છતે વસ્તુકારમાં मरिहनुं देवासुरमणुएसुं अरिहा पूर्य सुरुत्तमा जम्हा । अरिणो हंता रयं हंता अरिहंता તે યુવ્યંતિ વગેરે તત્ત્વકથન-સ્વરૂપનિવેદન ઘટે છે. પ્રશ્ન-૧૦૮૩ – ભલે એમ કરો અહીં પદાર્થ કહો ને? ઉત્તર-૧૦૮૩ – જોકે અહીં પદાર્થ કહેતે છતે ત્યાં સ્વરૂપ કથન ઘટે છે. છતાં પણ અહીં કહેતા નથી. પરંતુ ગ્રંથલાઘવાર્થે ત્યાં વસ્તુકારમાં જ પદાર્થ કહેવાશે. નહિ તો અહીં અહંદાદિ પદાર્થોનો અર્થ, ત્યાં અરિહંતાદિનું સ્વરૂપ કથન એમ ગૌરવ થાય. ષડવિધ પ્રરૂપણા પૂર્ણ ૨. નવવિધ પ્રરૂપણા - (૧) સત્યદપ્રરૂપણા:- નમસ્કારરૂપ સતપદની પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનકોને આશ્રયીને ચારે ગતિમાં માર્ગણા (ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, લેશ્યા, સમ્યત્વ, જ્ઞાન, દર્શન, સંયમ, ઉપયોગ, આહારક, ભાષક, પરિત, પર્યાપ્ત, સૂક્ષ્મ, સંજ્ઞી, ભવ્ય અને ચરમ દ્વારમાં) કરવી. જેમકે-નમસ્કાર છે કે નહિ? છે. ત્યાં ચારે ગતિમાં નમસ્કારના પૂર્વપ્રતિપન્ન નિયમા છે. પ્રતિપદ્યમાનો વિવક્ષિત કાળે ભજના હોય છે. ક્યારેક હોય-ક્યારેક ન હોય. એમ ઇન્દ્રિયાદિ ચરમાંત દ્વારોમાં જેમ પીઠીકામાં મતિજ્ઞાનની સત્પદપ્રરૂપણા કરી છે તેમ નમસ્કારની કરવી. (૨) દ્રવ્ય પ્રમાણ :- નમસ્કારની પ્રતિપત્તિ આશ્રયીને લોકમાં ક્યારેક હોય ક્યારેક ના હોય. જો હોય તો જઘન્યથી ૧-૨-૩ ઉત્કૃષ્ટથી સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમના અસંખ્યભાગ રાશિતુલ્ય. પૂર્વપ્રતિપન્ન જઘન્યથી સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમના અસંખ્યભાગ પ્રદેશ રાશિપ્રમાણ જ હોય. ઉત્કૃષ્ટ તેમનાથી વિશેષાધિક. (૩) ક્ષેત્ર - નમસ્કારવાળો જીવ ઉપર અનુત્તર દેવલોકમાં જતો લોકના ૭/૧૪ ભાગ અને નીચે છઠ્ઠી નારકમાં જતો પ/૧૪ ભાગમાં હોય છે. (૪) સ્પર્શના :- ક્ષેત્ર પ્રમાણે સમજવી. (૫) કાળ - નમસ્કારવાળા જીવને આશ્રયીને જેમ નીચે આપેલું તેમ (ગા.૨૯૧૨) આદિથી કાળ કહેલો છે. તેમ અહીં પણ નાના જીવોને તો નમસ્કાર સર્વકાળ હોય છે, લોકમાં તેનો સર્વથા અવિચ્છેદ હોવાથી. (૬) અંતર - પડેલાને પુનઃપ્રાપ્તિમાં અંતર એકજીવ આશ્રયીને જઘન્યથી અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી અપાઈ યુગલ પરાવર્તરૂર અનંતકાળ. નાનાજીવોને આશ્રયીને અંતર જી.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy