SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ૧૯૮ આ દ્રવ્યાસ્તિક નયનો મત છે. (પર્યાયાસ્તિક) તે સામાયિકાદિ ગુણ વાસ્તવમાં પર્યાયાર્થિકનયનો છે. જીવદ્રવ્ય નથી. કારણ જીવનો ગુણ=જીવગુણ-તત્પુરુષ સમાસ છે. તે ઉત્તરપદપ્રધાન છે. જેમકે, તેલની ધારા-તેલધારા. અહીં ધારાથી અતિરક્ત કોઈપણ તેલ નથી. એમ જ્ઞાનાદિગુણથી અતિરિક્ત જીવદ્રવ્ય પણ નથી. પૂર્વાપરભાવથી સદૈવ પ્રવૃત પર્યાયોમાં જ ભ્રાન્તિથી દ્રવ્યોપચાર કરાય છે. પર્યાયોથી ભિન્ન દ્રવ્ય નથી. નાસ્તિ परपरिकल्पितं द्रव्यं, पर्यायेभ्योऽर्थान्तरत्वात्, खरविषाणवत् । અથવા દેત્વન્તરपरपरिकल्पितं द्रव्यं, पर्यायेभ्यो भेदेनानुपलक्ष्यमानत्वात्, व्यवहारेऽनुपयुज्यमानत्वात् क्वा, વિષાળવત્, અથવા જેમ રૂપ-૨સ-ગંધ-સ્પર્શોથી ભિન્ન ઘટ નથી સર્વપ્રમાણોથી અગ્રહણ હોવાથી. જેમકે, ખવિષાણ. તેમ આગ્યેય પર્યાયવિના સર્વઉપાખ્યારહિત જ્ઞાનાદિથી ભિન્ન કયો જીવ હોય ? કોઈ નહિ. માટે પર્યાય જ સત્ય વસ્તુ છે, અને તે પર્યાય અથવા ગુણ સામાયિક છે પણ દ્રવ્ય નથી. પર્યાયાસ્તિક નયનું વિશેષ સ્વરૂપ :- ગુણો ઉત્પાદ-વ્યય રૂપે પરિણમે છે પણ દ્રવ્યો નહિ. પ્રયોગ :- મુળા ડ્વોત્પા-વ્યય પેન પરિામન્તિ, ન તુ કવ્યાળિ, અતસ્ત વ સન્તિ, ઉત્પાદ્व्ययपरिणामकत्वात्, पत्रनीलरक्तादिवत् । तद्वयतिरिक्तः गुणी नास्त्येव, उत्पादવ્યયરામરહિતત્વાત્, વન્ધ્યાસુતાવિવત્ । દ્રવ્યપ્રભવા ગુણો હોતા નથી કે ગુણપ્રભવા દ્રવ્યો હોતા નથી, પત્રના નીલત્વાદિ ગુણોની જેમ ઉત્પાદ-વ્યયના પરિણામથી ગુણો જ વસ્તુરૂપે છે, પરંતુ ઉત્પાદ-વ્યયના પરિણામના અભાવે ખપુષ્પની જેમ દ્રવ્ય નથી. એટલે દ્રવ્યો કારણ નથી ને કાર્ય પણ નથી તેથી દ્રવ્યાભાવ છે. કારણ કે સત્ કાર્યકારણરૂપ હોય છે. અથવા દ્રવ્યપ્રભવા ગુણો નથી હોતા. પરંતુ ગુણપ્રભવા દ્રવ્યો હોય છે. પૂર્વપરભાવથી પ્રતીતિ કરીને સમુત્પાદથી સમુત્પન્ન સમુદાયમાં દ્રવ્યના ઉપચારની પ્રવૃત્તિ હોવાથી. તેથી ગુણ જ સામાયિક છે. પ્રશ્ન-૧૦૩૩ પર્યાયાર્થિકનયમતે જો સર્વથા દ્રવ્યાભાવનું વ્યાખ્યાન તમે કરો તો બરાબર નથી, કારણ કે પર્યાયનય પણ દ્રવ્યને ઇચ્છે જ છે. પરંતુ પરસ્પર અત્યંતભિન્ન દ્રવ્ય અને પર્યાય એ માને છે. કાંઈક ભિન્ન નહિ. એટલો સિદ્ધાંતથી એનો ભેદ છે. દ્રવ્ય પર્યાયનો અત્યંત ભેદ કઈ રીતે ? - ઉત્તર-૧૦૩૩ કારણ કે પર્યાયો ઉત્પાદ-વ્યયપરિણામ સ્વભાવવાળા છે અને દ્રવ્ય નિત્ય શાશ્વત્ છે અને તે ગુણો દ્રવ્યપ્રભવા છે નહિ કે દ્રવ્ય ગુણપ્રભવ. તેથી એ ન્યાયે પરસ્પર ભિન્ન સ્વભાવવાળા તે દ્રવ્ય-પર્યાયો અન્યોન્ય ભિન્ન છે. કારણ કે જીવ શાશ્વત છે, તેનાથી વ્યતિરિક્ત સામાયિક પર્યાય-ધર્મ છે. એટલે તેને પર્યાયનય જીવથી ભિન્ન ઇચ્છે છે. એટલે મારૂં વ્યાખ્યાન -
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy