SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૮૩ અભિજ્ઞને આશ્રયીને દુષણો અને જે આગળ પણ કાંઈક શાસ્ત્ર પરિકર્મિતમતિવાળો વિજ્ઞા વ્યક્તિ દેવલોકમાં અવિરતિભાવ અવશ્યભાવિ જાણતો અપરિમાણ પ્રત્યાખ્યાન ઉચ્ચરે છે, એવું બોલનાર તે સાક્ષાત્ મૃષાવાદી છે. કેમકે, બોલે છે કાંઈ ને કરે છે કાંઈ મનનો ભાવવિરતિ પરિણામ પ્રત્યાખ્યાન કહેવાય છે. તે પ્રત્યાખ્યાન ને યાવજજીવ અવધિ જ છે કે મરણ પછી પણ છે? બીજો પક્ષ-તો તેનું પ્રત્યાખ્યાન તુટે છે. દેવલોકમાં ભોગસેવન અવશ્યભાવિ હોવાથી તેનો ભંગ છે. જો પ્રથમ પક્ષ-તો વચનથી પણ માવજજીવ એવા પરિમાણના પ્રગુણન્યાયથી શું પ્રત્યાખ્યાન ન કરાય? અને મનમાં કાંઈ ને વચનમાં કાંઈ એવું શા માટે કહેવાય? આવું જો કહે તો ફક્ત માયા જ છે-જો મનમાં અન્યથા-ચાવજજીવાવધિ જ ભાવપ્રત્યાખ્યાન પરિમાણ અને અન્યથા-વાવજજીવાવધિ પરિમાણ રહિત જ વચન છે તો તે જાણતા ફક્ત માયા જ નિર્ણત થાય છે. અને અન્યથા વિચારીને અન્યથા બોલવાથી અન્ય કાંઈ ફળ ન દેખાય. અથવા તને પુછું છું –શું તથાવસ્થિત ભાવમાં પણ વાવબ્બીવા કહેતાં તને કોઈ દોષ જણાય છે કે જેથી વચનથી પણ એ સપરિમાણ પ્રત્યાખ્યાન ન કહેવાય ? અથવા શું તું ભાવ કરતાં વચન મોટું જોવે છે કે જેથી ભાવ અન્યથા છતાં વચન અન્યથા કરે છે? એ અયોગ્ય છે. કારણ કે આગમમાં ભાવ જ પ્રમાણ છે અને વચન અપ્રમાણ છે એમ કહેલું છે. ભાવ પ્રત્યાખ્યાન જ પ્રમાણ છે કોઈએ ત્રિવિધાહાર પ્રત્યાખ્યાન કરવા વિચાર્યું અને વધુ સંયમથી આક્ષિત મનથી “ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરું છું” એવો શબ્દ ઉચ્ચાર્યો એમ મનના ભાવની અનુવૃત્તિથી વ્યંજન શબ્દ અન્યત્ર પડતા-અન્યવિષયમાં ઉચ્ચારતા છતાં જે ખરેખર પ્રત્યાખ્યાન વિષય અનેક સૂક્ષ્મવિવક્ષાથી આક્રાંત પ્રત્યાખાતાના મનમાં રહેલો ભાવ સ્પષ્ટ છે તે જ પ્રત્યાખ્યાન પ્રમાણ છે. તે જ પ્રત્યાખાતાનો વિવક્ષિત પ્રત્યાખ્યાન સંબંધી મનોગત ભાવ પ્રમાણ છે વ્યંજન-શબ્દ નહિ, વ્યંજન છલમાત્ર હોવાથી અને ભાવના અનુરોધ વિના પ્રવૃત્ત હોવાથી અપ્રમાણ છે આમ, આગમમાં પણ વચન-અપ્રમાણે કહેલું હોવાથી જો યાવજજીવ અવધિવાળો મનનો ભાવ હોય તો વચનથી પણ માવજજીવ ઉચ્ચારો. મિથ્યાગ્રહથી શું? આમ યુક્તિઓથી સમજાવવા છતાં તે ન માન્યો ત્યારે સંઘની બહાર કર્યો. (૮) બોટિક દૃષ્ટિ-શિવભૂતિ રથવીરપુર-દીપક ઉદ્યાન-આર્યકૃષ્ણસૂરિ આવ્યા. તેમાં સહગ્નમલ શિવભૂતિ નામનો રાજસેવક છે તે રાજાની મહેરબાનીથી વિલાસ કરતો નગરમાં ભમે છે અડધીરાત્રે ઘરે આવે
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy