SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ ગુજરાતી પ્રશ્નોત્તર પ્રાપ્ત થાય. જો એમ થાય તો આકાશ કુસુમ પણ પ્રાપ્ત થઈ જાય. અને બીજા લક્ષણમાં તો દૃષ્ટાંત પણ નથી મળી શકતું. એવો કયો અવયવી મળે કે જે માત્ર અંત્યાવયવરૂપ હોય ? કોઈ ન મળે. એટલે તેની સરખામણી કોઈપણ દ્રવ્યાદિ સાથે થઈ શકતી ન હોવાથી દષ્ટાંત પણ મળી શકતું નથી. એટલે સાધ્ય પણ કઈ રીતે સિદ્ધ થાય? ન જ થાય. રૂપવ્યિક્ષUDIHસ્યાનુપતબ્ધઃ વ્યવહારમાવીષ્ય, પુષ્પવત્ ” અથવા “સત્યવયવમત્રમવયવી, અવયવી સંપૂર્ણતાહેતુત્વા” અહીં દષ્ટાંતાભાવે પણ સાધ્યસિદ્ધિ નથી. જે ઉપલબ્ધ નથી, વ્યવહાર નથી અને દાંતાભાવે અનુમાન નથી કરાતું. તેથી, પ્રત્યક્ષાદિ પ્રમાણોથી અર્થોની સિદ્ધિ છે. અને તે અર્થો તારા પક્ષના સાધક તરીકે પ્રવર્તતા નથી. એટલે સર્વપ્રમાણ વિષયાતીત હોવાથી તારી માન્યતા મિથ્યાત્વ જ છે. આ રીતે મિત્રશ્રી એ પ્રેરેલા તેણે બોધ પામી ક્ષમાપના કરી અને શ્રાવકે સંપૂર્ણ અન્નપ્રદાનાદિ વિધિથી ફરીથી વહોરાવ્યા. જઈને શિષ્યપર્ષદા યુક્ત વિધિ પૂર્વક ગુરુચરણે પાછો ફર્યો અને સમ્યગુ માર્ગ પ્રાપ્ત કરી ગુરુ સાથે વિચર્યો. તિ તિધ્યાન: (૩) અષાઢાચાર્યના શિષ્યો અવ્યક્તવાદીઓ. શ્વેતવિકાનગરી-પૌલાષાઢ મૈત્ય-અષાઢાચાર્ય, ઘણા શિષ્યોને અગાઢયોગો ચાલે છે. બીજા વાચનાચાર્ય ન હોવાથી આચાર્ય પોતે વાચનાચાર્ય થયા. તેવા કર્મવિપાકથી તે જ દિવસે રાત્રિમાં હૃદયશૂળથી કાળ કરીને સૌધર્મદેવલોકમાં નલિની ગુલ્મવિમાનમાં દેવ થયા. ગચ્છમાં કોઈને ખબર ન પડી. અવધિથી પૂર્વનો વૃત્તાંત જાણીને સાધુ-અનુકંપાથી આવી તે જ શરીરમાં દાખલ થઈ અને સાધુઓને જગાડીને કહ્યું. વૈરાત્રિકકાલ ગ્રહણ કરો. સાધુઓએ તેમ જ કર્યું. શ્રુતના ઉદ્દેશ-સમુદેશ-અનુજ્ઞા તેમની આગળ જ કર્યા, દિવ્યપ્રભાવથી તે દેવે તે સાધુઓનાં કાલભંગાદિ વિપ્નને રક્ષતા જલ્દી યોગો પાર પાડ્યા. પછી તે શરીર છોડીને સ્વર્ગમાં જતા તેણે સાધુઓને કહ્યું ક્ષમા કરજો, અસંયત એવા મેં પોતાને સાધુઓ એવા તમે વંદાવ્યા, હું અમુક દિવસે કાળ કરીને સ્વર્ગમાં ગયો તમારી અનુકંપાથી આવીને તમારા અગાઢ યોગો પૂરા કરાવ્યા. એમ કહી ખમાવીને સ્વસ્થાને ગયો. તે સાધુઓ તેના શરીરને પાઠવીને વિચારે છે અહો ! ઘણા સમય સુધી અસંયત વાંદયો. તેમ અન્યત્ર પણ શંકા-કોણ જાણે કોણ સંયત, અસંયત દેવ કોઈ છે? એટલે કોઈને વંદન ન કરવા જ શ્રેય છે નહિતો અસંયત વંદન અને મૃષાવાદ થાય. આમ તેવા પ્રકારના ભારે કર્મના ઉદયથી તે અપરિણત મતિવાળા સાધુઓ અવ્યક્તમતને સ્વીકારેલા પરસ્પર વંદન કરતા નથી એટલે સ્થવિરોએ કહ્યું-દરેક અન્યમાં તમને સંદેહ છે તો જેણે કહ્યું- હું દેવ છું ત્યાં પણ તમને શંકા ન થઈ કે એ દેવ છે કે અદેવ? જો તેણે સ્વયં કહ્યું – હું દેવ છું અને દેવરૂપ પ્રત્યક્ષ જ જોયું એટલે ત્યાં સંદેહ નથી. જો એમ
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy