SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૨૫ જેમ સ્વપ્રસૂતિ-વક્રતાનાશ દ્વારા આંગળીની ઋજુતા જણાય છે, અર્થાત્ આંગળી દ્રવ્યનો ઋજુતા પર્યાય નિયમા સ્વત્તા ઉત્પાદ અને વક્રતાના નાશથી જ જણાય છે. અન્યથા થતો નથી. અનુત્પન્ન ખરશિંગની જેમ લક્ષણના અયોગથી અને સ્વવિપક્ષ પર્યાય વિનાશ થયા વિના ઉત્પાદના અયોગથી ન જણાય. તેથી જેમ ઉત્પાદ છે તેમ વિનાશ પણ વસ્તુલક્ષણ છે. પ્રશ્ન-૯૨૫ – ઉત્પન્નવસ્તુ અનન્યત્વથી વિદ્યમાન હોવાથી ઉત્પાદની લક્ષણતા યોગ્ય છે, વિનાશ તો અવિદ્યમાન છે એટલે તેને લક્ષણ માનવું કઈ રીતે ઘટે ? કોઈ અસત્ ખરશિંગ કોઈનું પણ લક્ષણ બનવા યોગ્ય નથી, જો નાશ પણ વસ્તુનું લક્ષણ માનો તો તે અભાવરૂપ હોવાથી તેનાથી જણાતી વસ્તુ પણ ખપુષ્પની જેમ અભાવ જ થાય. ઉત્તર-૯૨૫ नाशो भावः पूर्वोक्तन्यायेन वस्तुनः संभवहेतुत्वात् ध्रुवत्ववत् । तारी માન્યતા ખોટી છે કારણ કે વિનાશ પણ ધ્રુવત્વની જેમ વસ્તુની ઉત્પત્તિનો હેતુ હોવાથી ભાવરૂપ છે. અથવા વસ્તુપ્રમવાવિભાવાત્ (પ્રૌઢતાપર્યાય) સમુત્લાવવત્ । યો યો વસ્તુનઃ प्रकृष्टभवनस्यादौ भवति स स भाव: यथोत्पादः, भवति च वस्तुप्रभवस्यादौ पुर्वोक्तयुक्तितो नाशः તસ્મા દ્રાવ: । વસ્તુના પ્રકૃષ્ટપણામાં એટલે કે વસ્તુના પ્રૌઢતાપર્યાયની આદિમાં પ્રથમ વિનાશ વિદ્યમાન હોય છે, તેથી ઉત્પાદની જેમ તે પણ ઉત્પત્તિમાં હેતુ હોવાથી ભાવરૂપ છે. “જે કાંઈ વસ્તુની પ્રકૃષ્ટતા થવાની આદિમાં હોય છે, તે ઉત્પાદની જેમ ભાવરૂપ છે” તેવી જ રીતે વિનાશ પણ વસ્તુની ઉત્પત્તિની આદિમાં હોય છે માટે ભાવરૂપ છે. - એટલે નાશથી જણાય જ છે એટલા અંશથી તે વસ્તુ અભાવ જ છે કોઈ વિવાદ નથી. જૈનોએ વસ્તુને કાંઈક અભાવરૂપ પણ માની છે. અન્ય રૂપે ઉત્પાદ-પ્રોવ્યરૂપે તે વસ્તુ ભાવ જ છે. પ્રશ્ન-૯૨૬ – આ રીતે ભાવા-ભાવ ઉભયસ્વભાવવાળી વસ્તુ પ્રાપ્ત થાય, એ બરાબર નથી, ભાવા-ભાવના પરસ્પર પરિહારથી છાયા-તડકાની જેમ એક સ્થાને સ્થિતિ ઘટતી નથી. ઉત્તર-૯૨૬ આ રીતે ભાવાભાવ રૂપ જ તે વસ્તુ હોય છે એકાન્તે ભાવ કે અભાવસ્વરૂપ હોતી નથી. જો સર્વથા અભાવરૂપ માનો તો ખપુષ્પવત્ તે વસ્તુ થાય, અથવા સર્વથા ભાવરૂપ માનો તો સર્વ સંકર-એકત્વ-નિત્યત્વાદિ દોષો ઉભા થાય છે. જેમકે-સર્વથા ઘટનો ભાવ એમ કહેતાં જેમ ઘટ રૂપે તેમ પટ-સ્તમ્ભ-ભૂ-ભૂધરાદિ પ્રેલોક્યરૂપે પણ વસ્તુને કોઈપણ રીતે અભાવરૂપ ન માનવાથી તેનો ભાવ થાય. એમ સ્તાદિના સંપૂર્ણ ભાવથી સર્વસંકર-પરસ્પર અનુપ્રવેશ થાય. કોઈ એક ઘટાદિ વસ્તુમાં સર્વત્રિભુવનના પ્રવેશથી સર્વેકતા થઈ જાય, તેથી એક જ આકાશ આદિ વસ્તુ સર્વદા રહેવાથી શેષ ઘટાદિવસ્તુજાતની -
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy