SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૧૫ તંતુસંયોગમાં નિમિત્ત છે. તંતુલક્ષણ કારણ દ્રવ્યના આશ્રિત નથી. પરંતુ તંતુસંયોગો-ગુણોધર્મો અસમવાયિકારણ છે. કારણ તેઓ જ તંતુલક્ષણકારણદ્રવ્યને આશ્રિત છે. તે તંતુસંયોગો જે કારણથી તંતુધર્મો છે એટલે નિમિત્ત કારણ બનતા નથી કારણ કે તેઓ નિમિત્તકારણથી વિલક્ષણરૂપ છે. પ્રશ્ન-૯૦૮ – તો સમવાધિકારણ ભલે થાય, તંતુ જેમ તેઓનું પણ પટમાં સમવેત તો ઉત્તર-૯૦૮ – ના, કારણ કે તન્તુદ્રવ્યથી પટ એ દ્રવ્યાંતર છે, અને તેનાથી દ્રવ્યાંતર તંતુઓ છે. દ્રવ્ય દ્રવ્યાન્તરમરમત્તે, ગુણાન્તરમ્ એ સિદ્ધાંતથી, એટલે દ્રવ્યાંતર ધર્મનો દ્રવ્યાંતરમાં સમવાય ન થાય, જેમકે શીતાદિનો વહ્નિમાં, જેથી તન્દુધર્મો-તંતુસંયોગોનો દ્રવ્યાંતર પટમાં સમવાય માનતાં પટતંતુલક્ષણ કાર્ય-કારણની એકતા થાય છે, ઇતરેતર ગુણના સમવાયથી, તેથી જેમ પટધર્મો શુક્લાદિ પટમાં સમવેત હોવાથી તેનાથી અતિરિક્ત છતાં પટનું કારણ નથી. એમ તંતુસંયોગો પણ તેનું કારણ ન થાય, કારણ કે, એકત્વ હોય તો કાર્યકારણ ભાવ ન ઘટે. આ રીતે વૈશેષિકો કોઈપણ રીતે કાર્ય-કારણભાવનું એકત્વ માનતા નથી. જૈનમતે ભિન્નભિન્નતા જેમ તંતુસંયોગો તંતુના ધર્મો છે તેમ પટ પણ તંતુનો ધર્મ જ છે, જેમ તેજ તંતુઓના સ્વગુણો શુક્લાદિ તેના ધર્મ છે. સમવાયાદિથી-જે જયાં સમવેત તે તેનો ધર્મ જ છે, જેમ તખ્તઓનાં સ્વગુણો શુક્લાદિ તેમના ધર્મ, પટ તંતુઓમાં સમવેત છે. તેથી તંતુધર્મ છે. જેમ તંતુનો ધર્મ પટ છે, તેમ દ્રવ્યના ગુણ-કાર્ય-સામાન્ય-વિશેષ-સમવાય પણ ધર્મ છે. પ્રશ્ન-૯૦૯ – જો કે તંતુઓનો ધર્મ પટ કે દ્રવ્યના ગુણાદિ ધર્મ છે તો પણ પ્રસ્તુતમાં કારણથી કાર્યના ભેદભેદના વિચારમાં શું મળ્યું? ઉત્તર-૯૦૯ – અહીં પ્રસ્તુતમાં તેનું પ્રયોજન છે. તેથી જ ઉપર મુજબ કહ્યું છે. જેમ દિશા-કાળ-આત્માદિ વિશેષ અભિધાન-બુદ્ધિ-લક્ષણાદિથી ભિન્ન છતાં સદર્થ-સત્તા સામાન્યથી સત્ત્વ-જ્ઞેયત્વ-પ્રમેયત્વાદિથી અભિન્ન છે. તે જ રીતે દ્રવ્યથી ગુણ-કર્મ-સામાન્ય સમવાયાદિ અભેદ છે. જેમકે-દિશાકાલાદિનું અન્ય અભિધાન છે અને સામાન્યનું અન્ય છે દિશાદિમાં અન્ય બુદ્ધિ થાય છે અને સત્તા સામાન્યમાં અન્ય બુદ્ધિ થાય છે દિશાદિનું અન્ય લક્ષણ છે અને સત્તા સામાન્યનું અન્ય લક્ષણ છે. આમ, અભિધાનાદિ વિલક્ષણતાથી જેમ દિશા કાલાદિ સત્તા સામાન્યથી ભિન્ન છતાં જ્ઞતા-શેયત્વાદિથી અભિન્ન છે. તેમ દ્રવ્ય તખ્તઆદિથી શુક્લાદિગુણો અભિધાનાદિથી ભિન્ન છતાં સત્ત્વત્વ-જ્ઞેયવાદિથી અભિન્ન છે.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy