________________
४४५
૦ ૩૬મા સમવાયમાં ઉત્તરાધ્યયનના અધ્યયન, મહાવીરભગવાનની સંપદા વગેરેનું
વર્ણન છે. • ૩૭માં સમવાયમાં ભગવાન કુંથુનાથ અને અરનાથના ગણધર વગેરેનું વર્ણન છે. "• ૩૮મા સમવાયમાં ભગવાન પાર્શ્વનાથની ઉત્કૃષ્ટ શ્રમણી સંપદા વગેરેનું વર્ણન છે. • ૩૯મા સમવાયમાં ભગવાન નેમિનાથના અવધિજ્ઞાની મુનિ અને સમયક્ષેત્રના કુલ-પર્વત
વગેરેનું વર્ણન છે. ૪૦માં સમવાયમાં ભગવાન અરિષ્ટનેમિની શ્રમણી સંપદા, ભગવાન શાંતિનાથની ઊંચાઈ
વગેરે વર્ણિત છે. • ૪૧મા સમવાયમાં ભગવાન નેમિનાથની શ્રમણી સંપદા વગેરેનું વર્ણન છે. • ૪૨મા સમવાયમાં ભગવાન મહાવીર સ્વામીનો શ્રમણ પર્યાય, નામ-કર્મની ઉત્તરક્રિયાઓ
વગેરે વર્ણિત છે. • ૪૩માં સમવાયમાં કર્મવિપાકના અધ્યયન વગેરે વર્ણિત છે. • ૪૪મા સમવાયમાં ઋષિ ભાષિતના અધ્યયન વગેરેનું વર્ણન છે. • ૪૫મા સમવાયમાં ભગવાન અરનાથની ઊંચાઈ વગેરે વર્ણન છે. • ૪૬મા સમવાયમાં દષ્ટિવાદના માતૃકાપદ, બ્રાહ્મીલિપિના માતૃકાક્ષર વગેરેનું વર્ણન છે. • ૪૭મા સમવાયમાં સ્થવિર અગ્નિભૂતિના સહવાસ વગેરે વર્ણિત છે. • ૪૮મા સમવાયમાં ચક્રવર્તીના પ્રમુખ નગરો, ભગવાન ધર્મનાથના ગણધર વગેરેનું
વર્ણન છે. • ૪૯મા સમવાયમાં ત્રિ-ઈન્દ્રિયોની સ્થિતિ વગેરે વર્ણિત છે. • ૫૦મા સમવાયમાં ભગવાન મુનિસુવ્રતસ્વામીની શ્રમણી સંપદા વગેરેનું વર્ણન છે. • ૫૧મા સમવાયમાં આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ, અધ્યયનોના ઉદ્દેશક વગેરેનું વર્ણન છે. • પરમ સમવાયમાં મોહનીય કર્મના નામ વગેરે વર્ણિત છે. • પ૩મા સમવાયમાં દેવ, કુરુક્ષેત્રના જીવોની તથા પાતાળ કલશોની વાતો છે. • ૫૪મા સમવાયમાં ભરતક્ષેત્રમાં ઉત્સર્પિણી - અવસર્પિણીમાં થયેલા ઉત્તમ પુરુષો,
અનંતનાથના ગણધર વગેરે વર્ણિત છે. • પપમા સમવાયમાં ભગવાન મલ્લિનાથનું આયુષ્ય ભગવાન મહાવીરનું અંતિમ પ્રવચન
વગેરે વર્ણિત છે.