SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र (૧) આભોગ નિવર્તિત :- આભોગ = જ્ઞાન, જ્ઞાનપૂર્વક થયેલ તે આભોગ નિવર્તિત, ક્રોધના ફળને જાણીને ક્રોધાદિ કરે તે આભોગ નિવર્તિત ક્રોધ વિગેરે. (ર) અનાભોગ નિવર્તિત - ક્રોધાદિના ફલને જાણ્યા વિના ક્રોધાદિ કરે તે અનાભોગ નિવર્તિત ક્રોધ વિગેરે. (૩) ઉપશાંત ક્રોધાદિ :- ઉદય અવસ્થાને પ્રાપ્ત ન થયેલ ક્રોધ વિગેરે તે ઉપશાંત ક્રોધાદિ... (૪) અનુપશાંત ક્રોધાદિઃ- ઉપશાંતનો વિરોધી અર્થાત્ ઉદયમાં આવેલ ક્રોધાદિ તે અનુપશાંત ક્રોધાદિ. એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય પર્વતને આભોગ નિવર્તિત ક્રોધાદિ, સંશિના પૂર્વભવની અપેક્ષાએ આ કહેલ છે. અનાભોગ નિવર્તિત ક્રોધાદિ વર્તમાન ભવની અપેક્ષાએ પણ છે. નારકાદિને વિશિષ્ટ ઉદયના અભાવથી ઉપશાંત ક્રોધાદિ છે. અનુપશાંત ક્રોધાદિ માટે વિચારવા જેવું જ નથી. આ ક્રોધાદિ ચાર કષાયો વડે જીવ કર્મ પ્રકૃતિઓનું ત્રણેકાળમાં ચયન, ઉપચયન, બંધ, ઉદીરણ, વેદના અને દેશથી નિર્જરા કરે છે. (૧) ચયન - કષાયથી પરિણત જીવને કર્મયુગલોનું ગ્રહણ માત્ર તે ચયન. (૨) ઉપચયન - ગ્રહણ કરેલા કર્મના અબાધાકાલને છોડીને જ્ઞાનાવરણીયાદિરૂપે નિષેક કરવો તે ઉપચયન... (૩) બંધ - જ્ઞાનાવરણીયાદિ સ્વરૂપે નિષેક કરેલ કર્મ દલિકને ફરીથી કષાયની પરિણતિ વિશેષથી નિકાચન-મજબૂત કરવારૂપ બંધન છે. (૪) ઉદીરણા - ઉદયમાં નહીં આવેલ કર્મ દલિકને કરણ અર્થાત્ વિર્ય વડે ખેંચીને ઉદયમાં લાવવું તે ઉદીરણમ્... (૫) વેદનઃ- કર્મની સ્થિતિના ક્ષયથી સહજતાથી ઉદયમાં આવેલ અથવા ઉદીરણા કરણ વડે ઉદય ભાવને પ્રાપ્ત થયેલ કર્મનું અનુભવવું. (૬) નિર્ભરણ - કર્મનું અકર્મ સ્વરૂપ થવું તે નિર્જરા... અહીં દેશથી જ નિર્જરા ગ્રહણ કરવી, કારણ કે ચોવીશ દંડકમાં સર્વ નિર્જરાનો અસંભવ હોય છે. II૯૪ पुरुषविशेषानधिकृत्यैव पुनराह आपातासंवासभद्रकाः संवासानापातभद्रका आपातसंवासभद्रका अनापातासंवासમક: પુરુષા: પારકા
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy