________________
कथानकं चात्र
वाराणस्यां नगर्यां सम्बाधनो नाम राजा, तस्य रुपवतीनां कन्यकानां सहस्रमधिकमासीत्। सोऽन्तर्वत्न्यां महादेव्यामुपरतः, अपुत्रत्वान्नायकविकला ग्रहीतुमभिवाञ्छिता राज्य श्रीरन्यैः, वारितास्ते नैमित्तिकेन उदरवर्तिनो भविष्यदङ्गवीरनाम्नस्तनयस्य प्रभावात्पराभविष्यन्ते भवन्त इति वदता । तदाकर्ण्य निवृत्ता ग्रहणाभिलाषात्, व्यपगतो विप्लव इत्याह च
-
संवाहणस्स रन्नो, तझ्या वाणारसीए नयरीए । Īાસહસ્લમહિયં, આસી રિવવંતીળું ।। ૬ ।।
तह वि सा रायसिरी, उल्लटन्ती न ताइया ताहिं । ચક્રિણ પોળ, તાયા ગંગવીરેન ।। ૭ ।।
संवाहणस्स ० गाहा, तह वि० गाहा : प्रथमा उक्तार्था, तथापि सा राज्यश्रीः, उल्लटन्तीति अवलुठन्ती विनश्यन्तीत्यर्थः । न त्राता न रक्षिता ताभिः कन्याभिः, उदरस्थितेनैकेन त्राताङ्गवीरेणेति
|| ૧૬-૧૭ ||
અવતરણિકા : અને આ વિષયમાં = ‘પુરુષ એ પ્રધાન હોય છે' એ વિષયમાં કથાનક આ પ્રમાણે છે :
–
વારાણસી નામની નગરીમાં ‘સંબાધન’ નામનો રાજા (હતો). તેની રૂપવતી એવી એક હજારથી વધુ કન્યાઓ હતી. આ બાજુ તે = સંબાધન રાજા મહાદેવી = પટ્ટરાણી ગર્ભવતી હોતે છતે મરી ગયો. (અને એને ગર્ભસ્થ બાળક સિવાય એક પણ બાળક ન્હોતો માટે એ સંબાધન રાજા) પુત્ર વગરનો હોવાને લીધે એની રાજ્યલક્ષ્મી નાયક = રાજાથી રહિત થઈ પડી અને એવી રાજ્યરૂપી લક્ષ્મી બીજાઓ વડે = શત્રુ રાજા વિગેરે વડે ગ્રહણ કરવા = પચાવી પાડવા માટે ઈચ્છાઈ. પણ તે = શત્રુરાજા વિગેરે બધા નૈમિત્તિક = નિમિત્તના આધારે ભવિષ્યને કહેનાર વ્યક્તિ વડે અટકાવાયા.
(પ્રશ્ન ઃ કેવી રીતે એણે બધાને અટકાવી દીધાં ?) (આના ઉત્તરને નૈમિત્તિકના વિશેષણરૂપે ઢાળીને ટીકાકારશ્રી કહે છે :)
ઉત્તર ઃ ‘(હમણાં પટ્ટરાણીના) પેટમાં રહેલા, થનારા = જન્મ પામનારા એવા ‘અંગવીર’ નામના પુત્રના પ્રભાવથી આપ બધા હારી જશો (માટે યુદ્ધના પેંતરા ગોઠવશો નહિં.)'' આ પ્રમાણે બોલતાં
એવા નૈમિત્તિક વડે તે બધા અટકાવાયા.
તે = નૈમિત્તિકની વાતને સાંભળીને બધા શત્રુ (રાજ્યને) ગ્રહણ કરવાની ઈચ્છાથી પાછા ફર્યા અર્થાત્ એમને રાજ્યની ઈચ્છા છોડી દીધી. (અને એથી વારાણસી નગરી પર આવવાની સંભાવનાવાળો) વિપ્લવ = બળવો-યુદ્ધ ટળી ગયો.