SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ अनेन परार्थसम्पत्तिमाचष्टे। अथवा वीरे भगवति जीवति सति गुणस्तुतिरियं प्रकरणकारेण काक्वा चक्रे। ऋषभो जगच्चूडामणिभूतोऽधुना मुक्तिपदस्थायितया चतुर्दशरज्ज्वात्मकलोकस्योपरिवर्तीत्यर्थः, वीरः पुनः प्रत्यक्षोपलक्ष्यमाणतया त्रिलोकश्रीतिलको भुवनलक्ष्मीमण्डनमिति भावः। तथाऽनयोर्मध्ये एक ऋषभो लोकादित्यो युगादौ प्रभात इव विवेकप्रतिबोधद्वारेण पदार्थोद्योतकत्वेन च निखिलव्यवहारकारणत्वात्, एकः पुनर्वीरश्चक्षुः त्रिभुवनस्य इदानीन्तनजन्तुचक्षुर्भूतागमार्थभाषकत्वादिति ॥ १ ॥ અવતરણિકા : ત્યાં = જેનું અમે વિવરણ કરવાના છીએ તે ઉપદેશમાળા ગ્રંથમાં પહેલી ગાથા વડે શિષ્ટ = સજ્જન પુરુષોની મર્યાદા (આચાર)ને અનુસરવા માટે ભાવમંગલને કહે છે : (અર્થાત્ શિષ્ટ પુરુષો કોઈપણ પ્રવૃત્તિ શરૂ કરતાં પહેલા પોતાના ઈષ્ટદેવતાના સ્મરણ - નમસ્કાર વિગેરે રૂ૫ ભાવ મંગલને કરે અને ગ્રંથકારશ્રી પોતે શિષ્ટ છે માટે એઓ પણ એ આચાર પાલન માટે ગ્રંથ શરૂ કરતાં પહેલાં ભાવ મંગલને કહે છે.) (મંગલનું “ભાવ” વિશેષણ મૂકવા દ્વારા દ્રવ્યમંગલનો વ્યવચ્છેદ (બાદબાકી) કરી દીધેલો સમજવો. કેમકે દહીં વિગેરે રૂપ દ્રવ્યમંગલ એ અનેકાન્તિક અને અનાત્યન્તિક હોવાથી નિર્વિજ્ઞ સમાપ્તિનું કારણ બની શકે નહિ.) (અનેકનિક - ફળ આપે જ એવો નિયમ નહિં. અનાત્યન્તિક – આપે તો ય પૂરેપૂરું આપે એવો નિયમ નહિં.) ગાથાર્થ ઃ (૧) ઋષભપ્રભુ અને વીપ્રભુ જગતુના મસ્તકને વિશે મણિ સમાન છે, ત્રણ લોકરૂપી લક્ષ્મીના તિલક સમાન છે, લોકના અદ્વિતીય સૂર્ય સમાન છે. (તથા) ત્રણ ભુવનની એક = સહાયની જરૂરીયાત વગરની = અસહાય એવી આંખ સમાન છે. સાલા અથવા (૨) 28ષભદેવ ભગવાન્ જગતના મસ્તકને વિષે મણિરૂપ છે (અને) વીર પ્રભુ ત્રણ લોકરૂપી લક્ષ્મીના તિલક સમાન છે. (તેમાં) એક (આદિનાથ) લોક માટે સૂર્ય સમાન છે. અને એક (વીરપ્રભુ) ત્રણ ભુવનના ચક્ષુ સમાન છે. || ૧ | ટીકાર્થ : (કોઈ પણ ગાથાની ટીકાની શરૂઆત કરતાં પહેલાં ટીકાકારશ્રી ગાથાના પહેલા શબ્દને પ્રતીકરૂપે નીચે ઉતારે જેથી ખ્યાલ આવે કે આ ગાથાની ટીકા શરૂ કરાઈ છે. એમ અહીં પણ “લવૂડામગિણિી’ આ પ્રતીક ઉતારીને ટીકાકારશ્રીએ “આ ગાથાની ટીકા હું શરુ કરું છું' એવું સૂચન કર્યું છે. એથી એનો અર્થ કરવા બેસવું નહિ. આ પ્રમાણે દરેક ઠેકાણે સમજી લેવું.) (અહિં ટીકાની જે પ્રથમ પંક્તિ છે તે ગર્ભિત રીતે રહેલ એક પ્રશ્નના ખુલાસારૂપ છે. તે પ્રશ્ન આ પ્રમાણે : પ્રશ્ન : તમે અવતરણિકામાં “ગ્રંથકારશ્રી ભાવમંગલને કહે છે' - એવો ઉલ્લેખ કર્યો છે. જ્યારે આ શ્લોકમાં તો એ દેખાતું નથી. કેમકે ભાવમંગલ સામાન્યથી નમસ્કાર દ્વારા થતું હોય છે. એની જગ્યાએ અહીં તો માત્ર ભગવાનના વિશેષણો, ઉપમાઓ જ આપેલ છે?). ફર્થે હિ... ઉત્તર ભાઈ! આ ગાથા ખરેખર ભગવાનના ગુણોની સ્તવનાના અર્થવાળી છે એટલું તો પાÉછેને?
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy