SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૨૭) પરમાર્થ-વિચારણામાં મનને રોકવું હિતકારી છે, એમ સર્વ મહાપુરુષોએ માન્યું છે. જ્યાં નિરુપાયતા છે ત્યાં સહનશીલતા સુખદાયક છેજી. દેહના સંબંધ તો વહેલેમોડે સર્વને છોડવા પડયા છે, પણ “આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ; છે ભોક્તા, વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.' એ છ પદના સુવિચાર અને છઠ્ઠા પદમાં પ્રવૃત્તિ, એ જ આપણું અને આપણા સમાગમીઓના સત્ય હિતનું કારણ છેજી. વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થયે તે કાર્ય મારા-તમારા-સર્વથી બની શકે તેવું છેજી; તો સત્સંગ, સદ્વિચાર અને સઆચાર વડે, જેટલું બાકીનું જીવન જીવવાનું છે, તે સદ્ગુરુશરણે શોભાવીએ, એવી પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ વિનયભાવે પ્રાર્થના છેજી. (બી-૩, પૃ.૫૭૦, આંક ૬૪૧) | આપનો શોક-સમાચારવાળો પત્ર પ્રાપ્ત થયો. ઘણા પુણ્યના સમૂહથી, આ માનવદેહરૂપી હોડી ખરીદેલી છે, તે ભવસાગર તરવા માટે જ છે. માટે તે તૂટી જાય તે પહેલાં, પેલે પાર પહોંચવાનો પ્રયત્ન, આપણે બધાએ કરી લેવો ઘટે છેજી. આમ અચાનક આયુષ્ય તૂટી જાય છે' એવો સચોટ ઉપદેશ આપવા જ જાણે, તે ભાઇ મરણને શરણ થઈ, આપણને ઉપકારી થયા છે; તો આપણે હવે આ મોહનીંદમાંથી જાગ્રત થવું ઘટે છેજી, પ્રમાદ તજી સ્વરૂપસાધના તરફ વિશેષ વૃત્તિ વાળવી ઘટે છેજી. જેને માટે ઝૂરવાનું પરમકૃપાળુદેવે કહ્યું છે, તેની ઝૂરણા જીવ કરતો નથી અને જેમાં આપણું કંઈ વળે નહીં, માત્ર આર્તધ્યાન થાય, એવા પ્રસંગોમાં મોહને લઈને ઝૂરે છે, તેવી આપણી અંધદશાની કરુણા આણી, તે મહાપુરુષ ઉપદેશે છે : “ “અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? અને તે શું કરવાથી થાય?' આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે; અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે વૃઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી.' (૧૯૫). દેહ-ઇન્દ્રિય સંબંધીના સુખની જીવને ઝંખના લાગી છે. તે મેળવવા, સાચવવા કે તેનો નાશ થતાં, તેની ઝૂરણા કરવામાં, જીવની બધી વૃત્તિઓ રોકાઈ રહી છે, એટલે પરમાર્થનો વિચાર કે ભવ-પરિભ્રમણનો ત્રાસ, તેને સાંભરતો નથી. એક માખી આંખ આગળ બમણતી હોય કે કાન આગળ મચ્છર ગણગણતો હોય તો તેની તરત કાળજી રાખી ઉડાડી મૂકે છે; પણ માથે મરણ ઝપાટા દઈ રહ્યું છે, તે ક્યારે ઝડપી લેશે તેનો નિર્ણય નથી, છતાં જીવ નિરાંતે ઊંઘે છે, એ કેટલું મૂઢપણું છે ? સાપના મુખમાં પકડાયેલો દેડકો, પાસે ઊડતા મચ્છરને પકડવા માં પહોળું કરે છે, તેમ આ જીવ મરણના વિચાર ભૂલી, ભોગમાં વૃત્તિ રમાડયા કરે છે; એનો વારંવાર વિચાર કરી, જ્ઞાની પુરુષોએ આદરેલો પુરુષાર્થ, સહન કરેલા પરિષદો અને આપેલા ઉપદેશો તથા સત્સાધનો, તેનું માહાસ્ય વારંવાર દયમાં લાવી, તેમને પગલે-પગલે ચાલવાની ભાવનાથી, તેમણે બોધેલ માર્ગે હવે તો નિરંતર વૃત્તિ રહે અને તે લક્ષ ચુકાતાં મૂંઝવણ આવે, ન ગમે તેવું વર્તન કરવું ઘટે છે. હવે તો ઇન્દ્રિયોનાં તુચ્છ સુખોમાં વૃત્તિ જતાં મન ગ્લાનિ પામે, જાણે શરમાવું પડે તેવું મનમાં થાય, તેમ કર્તવ્ય છેજ. (બી-૩, પૃ.૪૮૪, આંક ૫૧૬)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy