SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬) મંત્રમાં ચિત્ત રોકાવાથી રહેવાથી આત્મા દેહનો દાસ મટી, દેહને નોકર ગણતો થશે અને દેહ પાસે આત્માનું કામ - ભક્તિસ્મરણ કરાવશે. કાયર થઈને કર્મને ગા-ગા કર્યો, કર્મ કંઈ ઓછાં થવાનાં નથી, દર્દને દયા આવવાની નથી; અને શૂરવીર થઇને આત્માને બચાવવા જ્ઞાનીની આજ્ઞામાં ચિત્ત રાખવાથી, કંઈ દર્દ વધી જવાનું નથી. માટે આત્માનું કામ શા માટે ન કરી લેવું? આ મનુષ્યભવ છે ત્યાં સુધી જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ થઈ શકે એમ છે. પછી લખચોરાસીમાં ભમતાં કંઈ ધર્મ નહીં બને, માટે રાતદિવસ સપુરુષની આજ્ઞામાં જ રહેવું છે, એમ કૃઢ કરવું. (બો-૩, પૃ. ૨૨૦, આંક ૨૧૮) D આપના પિતાશ્રીને ત્રિદોષ થયાના સમાચાર જાણ્યા છેજી. તેમને, ભાનમાં હોય ત્યારે, વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ આદિ ભક્તિનાં પદો તથા કોઈ-કોઈ પત્રો સંભળાવતા રહેશોજી; તથા સ્મરણમાં રહેવાની તેમને ભલામણ કરી છે એમ જણાવશોજી. મનુષ્યભવ દુર્લભ છે. જ્યાં સુધી આયુષ્ય છે અને ભાન હોય ત્યાં સુધી, જ્ઞાનીની આજ્ઞામાં વર્તવાનો દ્રઢ નિશ્રય કર્તવ્ય છેજી. સશક્ત-અશક્ત, સાજ-માંદો, ગરીબ કે ધનવંત, ગમે તે અવસ્થામાં મનુષ્યભવ હશે તો પથારીમાં પડયા-પડયા પણ પ્રભુનું આપેલું સ્મરણ થઈ શકે તેમ છે. આયુષ્ય છૂટી ગયા પછી આવો લાગ આત્મહિત કરવાનો મળવો મહાન દુર્લભ છેજી. માટે કંઠે પ્રાણ આવ્યા હોય, દેહ છૂટવાને વાર ન હોય તોપણ જ્ઞાનીએ આપેલા મંત્રનું રટણ ચૂકવું ઘટતું નથીજી. તે પરમપુરુષ પરમકૃપાળુદેવનું શરણું આ ભવમાં કોઈ પૂર્વના મહાપુણ્યને લીધે મળ્યું છે, તે ભવસાગર તરવાનું સફરી જહાજ સમજવા યોગ્ય છેજી, જ્ઞાની પુરુષે કંઈ પણ સ્વાર્થ વિના, માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી, જે આપણા જેવા પામર પ્રાણીઓ ઉપર અથાગ ઉપકાર કર્યો છે, સન્માર્ગ બતાવ્યો છે તેનો કોઈ રીતે બદલો વળી શકે તેમ નથી. માત્ર તેણે કરેલી આજ્ઞા, તેનું શરણ અને આશ્રયના અવલંબનને મરણપ્રસંગની ભારે વેદનામાં પણ ભુલાય નહીં તેટલી અંતરમાં દૃઢ શ્રદ્ધા અને કાળજી (દાઝ) ઊંડી રાખવા યોગ્ય છેજી. એ સત્પરુષને આશરે આ દેહ છૂટે તો તેના જેવી બીજી કોઈ કમાણી ગણવા યોગ્ય નથી. જેણે છેવટની પળ સાચવી તેણે બધાં વ્રત કર્યા, જાપ કર્યા, તીર્થ કર્યા, શાસ્ત્ર ભણ્યો, ભક્તિ કરી, બધું કરી છૂટયો સમજવા યોગ્ય છેજી; પણ પહેલેથી તે આજ્ઞાનું, તેના શરણાનું અને તેના આશ્રયનું માહાભ્ય સાંભળ્યું હશે, તેનો આધાર રાખ્યો હશે અને મરણ વખતે પણ તે ન છૂટે તેવી વારંવાર ભાવના કરી હશે તો જ આખર સુધી ટકી રહેશે. માટે જાગ્યા ત્યાંથી સવાર ગણી, આ પત્ર મળે ત્યારથી તે ભાવનાનો અભ્યાસ કરવા મંડી પડશો તો તે આખરે ગુણ કરશે, એમ આપના પિતાશ્રીને કાને પણ વાત નાખશો અને આપણે પણ એ જ કર્તવ્ય છે. સમાધિમરણ કરાવનારને પણ લાભ થાય છે.જી. આવો સેવા કરવાનો અવસર વારંવાર મળતો નથી; માટે કંટાળ્યા વિના, બીજાં કામ કરતાં પિતાની સેવા મહાલાભનું કારણ છે ગણી, તેમાં વિશેષ લક્ષ રાખવા વિનંતી છેજ. ધર્મમાં શ્રદ્ધા તેમની દ્રઢ થાય તેવું વાંચન, વાતચીત, ભક્તિ, સ્મરણ કરતા રહેવાથી સ્વપર, બંનેને લાભનું કારણ છેજી. (બી-૩, પૃ. ૨૦૨, આંક ૨૦૨)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy