SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ઉોત -૧૩ ] પર્યાયતમાં પણ વિનિના સમાવેશ નિષેધ [ 2 ! અનુક્તનિમિત્તા વિશેષક્તિમાં પણ સાથીઓ એને બૂમ પાડે છે, એણે “આવું છું” એમ કહ્યું છે, એની ઊંઘ છેક ઊડી ગઈ છે, એની જવાની ઈચ્છા પણ છે, છતાં એ વટેમાર્ગુ સંકોચ દૂર કરી શકતું નથી.” વગેરેમાં પ્રકરણને જે વ્યંગ્યની પ્રતીતિમાત્ર થાય છે, એ પ્રતીતિને કારણે કેઈ ચારુત્વ આવતું નથી, એટલે એનું પ્રાધાન્ય નથી. અચિંત્યનિમિત્તા વિશેષાક્તિની પેઠે અહીં પણ કારણ કહેલું નથી, પણ તે એવું ગૂઢ નથી કે કપી ન શકાય. ભટ્ટ ઉભટે અહીં ઠંડીની અતિશયતાને કારણ કર્યું છે. ઠંડી એટલી બધી છે કે સાથીઓ બૂમ પાડે છે, પિતે હા કહી છે, ઊંઘ ઊડી ગઈ છે, જવાનું મન પણ છે, છતાં એ પથારી છેડી શકતો નથી. કોઈ વળી અહીં એવું કારણ ક૯પે છે કે “જે હું પડી રહીશ તો કદાચ ફરી ઊંધ આવશે અને તે સ્વપ્નમાં મને પ્રિયાનાં દર્શન થશે,' એમ માનીને એ પથારી છોડતો નથી. ગમે તે કારણે કલ્પો, પણ તે ગૌણ જ રહે છે, અને વાય વિશેષોતિ જ અહીં પ્રધાન છે, એટલે અહીં વનિ છે એમ ન કહી શકાય. એ પછી પર્યાપ્ત અલંકારની બાબતમાં કહે છે કે – પર્યાપ્તમાં પણ વનિના સમાવેશને નિષેધ પર્યાપ્તમાં પણ જે વ્યંગ્યનું પ્રાધાન્ય હોય તે તેને સમાવેશ ભલે વનિમાં થતું, પણ તેથી કંઈ ધ્વનિનો સમાવેશ પર્યાયોક્તમાં ન થઈ શકે. કારણ, ધ્વનિનું ક્ષેત્ર ઘણું મોટું છે અને તે અંગી એટલે કે પ્રધાન હોય છે, એવું પ્રતિપાદન હવે પછી કરવામાં આવનાર છે. પરંતુ ભામહે જે ઉદાહરણ આપેલું છે તેના જેવા પર્યાપ્તના ઉદાહરણમાં તે વ્યંગ્યનું જ પ્રાધાન્ય નથી હેતું, કારણ, ત્યાં વાય ગૌણ છે એવું વિવક્ષિત હેતું નથી. આ સમજવા માટે આપણે પર્યક્તનું સ્વરૂપ સમજી લેવું પડશે. જામહે એનું લક્ષણ એવું આપેલું છે કે જ્યારે વાચવાચકવૃત્તિથી એટલે કે અભિધાથી ભિન્ન વૃત્તિ દ્વારા જે કહેવાનું હોય તેનું કથન કરવામાં આવે ત્યારે રસ.
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy