SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યોત ૧-૧૩ ] પ્રાધાન્યનું નિર્ણાયક ચાવ [ ૨૯. [ પાંડુ પાધર પર આદ્ર એટલે ભીના, તરતના જ થયેલા નખક્ષતો. જેવા ઇન્દ્રધનુને ધારણ કરનારી અને કલંકવાળા (નાયિકાના ઉપભોગને કારણે કલંકિત ) ચંદ્રને પ્રસન્ન એટલે ઉજજવળ (અને નાયકપક્ષે આનંદિત) કરનારી શરદ ઋતુએ (નાયિકાએ) રવિ(રૂપ બીજા નાયક)ને તાપ (સંતાપ) વધારી મૂક્યો. ] આમાં સૂર્યને ઈર્ષ્યાકલુષિત નાયકની ઉપમા વ્યંગ્ય છે, શબ્દથી કહેલી નથી, એટલે વામનને મને એ આક્ષેપાલંકારને દાખલો છે. તેમ છતાં, એમાં પણ એ વ્યંગ્યાર્થ વાયાર્થનું જ સૌદર્ય વધારતો હોઈ એને ધ્વનિ ન કહી શકાય. બીજા કેટલાક એ વ્યાખ્યાને અર્થ એવો કરે છે કે ઉપમાનને આક્ષેપ એટલે કે નિરર્થકતા કહેવી તે આક્ષેપ અલંકાર, અને તેનું આ ઉદાહરણું. આપે છે: तस्यास्तन्मुखमस्ति सौम्यसुभग किं पार्वणेनेन्दुना, सौंदर्यस्य पदं दृशौ यदि च, तैः किं नाम नीलोत्पलैः । किं वा कोमलकांतिभिः किसलयैः, सत्येव तत्राधरे, हा धातुः पुनरुक्तवस्तुरचनारभ्भेष्वपूर्वो ग्रहः ।। [તેનું સૌમ્ય સુંદર મુખ હોવા છતાં પૂર્ણિમાના ચંદ્રની શી જરૂર ? સૌદર્યના ધામરૂપ તેની બે આંખો હોવા છતાં પેલાં નીલેમ્પની શી જરૂર? તેને અધર હોવા છતાં કમલ કાંતિમય કિસલયની શી જરૂર ? ભારે ખેદ અને આશ્ચર્યની વાત છે કે બ્રહ્માને એની એ વસ્તુઓની રચના કરવાનું ઘેલું લાગ્યું છે ! ] અહીં “તેનું સૌમ્ય સુંદર મુખ હોવા છતાં પૂર્ણિમાના ચંદ્રની શી જરૂર?” એમ કહેવામાં એ મુખની પૂર્ણિમાના ચંદ્ર સાથે સરખામણી વ્યંગ્ય છે, અને એ રીતે વ્યંગ્ય થતા ઉપમાનની જરૂર નથી એવું અહીં કહ્યું છે, એટલે એ આક્ષેપાલંકારને દાખલ થયો. પણ “ચંદ્રની શી જરૂર છે?' એ શબ્દમાં મુકાયેલે આક્ષેપ જ, મુખ ચંદ્ર જેવું છે એ ઉપમા કરતાં વધુ સુંદર છે, એટલે અહીં વ્યંગ્યાર્થી વાચ્યાર્થની શોભા વધારે છે.. અને વાચાર્ય જ પ્રધાન છે, માટે એને વનિ ન કહેવાય. ધ્વનિ તો જ્યાં . બંગાથે પ્રધાન હેય ત્યાં જ કહેવાય. એથી વૃત્તિમાં કહ્યું છે કે –
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy