SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ વાત ૩-૪૧, , J ધ્વનિ પછી શેર્તિઓનું પ્રતિપાદન નિરુપણ કરે " ઉપર જેની વ્યાખ્યા કરવામાં આવી છે તે ધ્વનિનું નિરૂપણ કરવામાં નિપુણ સત્કવિઓ અને સહદ જ અવશ્ય કાવ્યના ક્ષેત્રમાં પરમ ઉત્કર્ષ પામી શકે છે. તે ઉપર કહેલું નિરૂપી કાવ્યતત્તવ (પૂર્વાચાર્યોને) અફુટ રૂપે કુયું હતું, પણ તેની વ્યાખ્યા કરવાની શક્તિને અભાવે તેમણે રીતિઓ પ્રચલિત કરી હતી. લોચનાકારે સ્વીકારેલા પાઠ મુજબ ૪૫ અને ૪૬ કારિકાઓ મળીને થક વાક્ય થાય છે, અને તે અનુસાર અહીં અર્થ આપવામાં આવેલો છે. છે કારકી મળીને એક વાક્ય માનીએ તે ૪૫ મી કારિકા પછી તરત વૃત્તિ આવે છે, તે વિક્ષેપકારક લાગે છે. બનિ પછી રીતિઓનું પ્રતિપાદન નિરુપયોગી આ ઇવનિના પ્રતિપાદનથી હવે જેનું સ્વરૂપ નિણત થયું છે, તે કાવ્યતત્વ જ્યારે અસ્કુટરૂપે સ્કુયું હતું ત્યારે એનું પ્રતિપાદન કરવાની શક્તિ નહતી એવાઓએ વૈદભી, ૌડી અને પાચાલી વગેરે તિઓ પ્રચલિત કરી હતી. રીતિનું પ્રતિપાદન કરનારાઓને જરૂર આ કાવ્યતવ અરૂપે સહેજ કુર્યું હતું એમ તે લાગે છે. અહીં એ તવ કુટરૂપે સારી રીતે બતાવવામાં આવ્યું છે, એટલે હવે કોઈ બીજા રીતિલક્ષણની જરૂર રહેતી નથી. કહેવાનો આશય એ છે કે જ્યાં સુધી વનિતત્ત્વ સ્પષ્ટરૂપે નિરૂપાયું નહતું ત્યાં સુધી રીતિઓનું પ્રતિપાદન થતું હતું, પણ હવે અમે ધ્વનિનું વિગતે નિરૂપણ કર્યું હેઈ, રીતિઓની વિગતે ચર્ચા કરવાની જરૂર નથી. ૪૭ આ નિરૂપી કાવ્યસ્વરૂપને જાણી લીધું એટલે કેટલીક શબ્દાશ્રિત અને બીજી અર્થીશ્રિત વૃત્તિઓ પણ પ્રગટ થઈ જાય છે, એટલે કે સમજાઈ જાય છે.
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy