SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ] મીમાંસકોએ પણ વ્યંજના રવીકારથી રહો [ . નામે ઔપાધિક ધર્મને સ્વીકાર કરે તે પૌરુષેય વાકયો બેટાં હોવાના સંભવને ખુલાસે સહેલાઈથી આપી શકાય. કારણ, શબ્દ અને અર્થના નિત્ય સંબંધને ત્યાગ કર્યા વિના, બોલ નારની ઈચ્છાને કારણે તેમાં બીજા પાધિક વ્યાપારો પણ આરોપી શકાય, અને તેને કારણે તે અસત્ય હોવાનો સંભવ દર્શાવી શકાય. મીમાંસક શબ્દ અને અર્થને સંબંધ નિત્ય છે એમ માને છે. વળી, તેઓ એમ પણ માને છે કે પૌરુષેય અને અપાય વા વચ્ચે ભેદ છે. એમને મતે વેદ અપાય છે, કે પૃપે રચેલા નથી, અને તે સ્વતઃપ્રમાણ છે, તેને કોઈ બીજા પુરાવાની જરૂર નથી. પણ લૌકિક વાક તે પુરુષોએ રચેલાં કઈ પૌય છે, અને તે પરતઃ પ્રમાણ છે, એટલે કે તેને બીજા પુરાવાની જરૂર છે. હવે. શબ્દ અને અર્થને સંબંધ જે નિત્ય હોય તો વાકય પૌથ હોય કે અપીય હોય, તેમાંથી નીકળતો અર્થ એક સરખા જ વિશ્વસનીય હોવો જોઈએ. એ બે પ્રકારનાં વાકયો વચ્ચે ભેદ શી રીતે થઈ શકે? ત્યારે એના ખુલાસારૂપે મીમાંસકેએ વ્યંજન વ્યાપાર કરવો પડે છે. પૌવા વાક્ય વક્તાની ઇચ્છા અનુસાર રચાતાં હોય છે. અને તે પુરુષના દે પાધિક રૂપે તેનાં વાકોમાં પણ ઉતરી આવે છે, અને તેથી તેનાં વાક્યોમાં વાગ્યવાચક સિવાયના બીજા વ્યાપારો કામ કરતા થાય છે, અને તેથી તે વાક્યો અપ્રામાણિક બની જાય છે. આમ, વાચવાચકભાવ ઉપરાંત અંજનાવૃત્તિ રવીકારે તો જ બે પ્રકારનાં વાકયોને ભેદ સમજાવી શકા. અહીં શબ્દ અને અર્થના નિત્ય સંબંધને ત્યાગ કર્યા વગર બીજાં કારણોને લીધે તેમાં પાધક વ્યાપાર દાખલ થતાં પરિણામ શું આવે છે, એમ કહ્યું, તેનું દષ્ટાંત આપીને સમર્થન કરતાં કહે છે એવા દાખલાઓ પણ લેવામાં આવે છે કે જેમાં વસ્તુને પોતાને સ્વભાવધર્મ છેડી ન દીધે હેય, તેમ છતાં, બીજી સામગ્રી આવી પડવાથી, બીજા ઔપાધિક વ્યાપારને કારણે, પિતાના સ્વભાવ વિરુદ્ધનાં પરિણામ બતાવે જેમ કે, ચંદ્ર વગેરે બધા જીવજગતને ઠંડક આપનાર શીતળ પદાર્થો પણ પ્રિયવિરહથી બળીજળી રહેલાં ચિત્તોને દર્શન માત્રથી સંતાપ
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy