SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોત ૩-૧૭, ૧૮, ૧૯, ] રસના વિરાવી અને તેમના પરિહાર [ ૧૦ . તાપસવત્સરાજ ' નાટકમાં આવું થયું છે. ત્યાં રત્નાવલી અને ઉદ્દયન વચ્ચે પ્રેમની સરૂઆત (પૂરાગ) થઈ ચૂકી છે, પણ ત્યાર પછી ચાચા અંકમાં વિજયવર્માની વાત વિસ્તારપૂર્વક કહેવામાં આવી છે, અને તેમાં વિજયવર્મા રત્નાવલીનું નામ સુધ્ધાં લેતા નથી, એટલે એ દારૂપ થઈ પાડ્યુ છે. · (ખ) કવખતે રસાલેખનમાં વિસ્તાર કરવામાં આળ્યે હાય એનું ઉદ્ઘાહરણ એવું આપી શકાય, કે અનેક વીરોને નાશ કરનાર કલ્પપ્રલય જેવા ભીષણુ સગ્રામ શરૂ થઈ ગયા પછી, વિપ્રલંભ શૃંગારની ભૂમિકા તૈયાર કર્યાં વગર જ, અને ખીજુ કાઈ ઉચિત કારણ ન હોવા છતાં, રામચદ્ર જેવા દેવપુરુષનું' પણ શૃંગારકથામાં પડી જવાનું વન કરવામાં આવે, તા તે રસભ ંગનું કારણુ ખને છે. તા પછી દુર્ગંધન જેવાને વિશે એવા વર્ષોંનની તે વાત જ શી ? ‘ વેણીસંહાર ’માં બીજા અંકમાં મહાભારતનું યુદ્ધ શરૂ થઈ ગયું છે, છતાં ભાનુમતી અને દુર્ગંધનની શૃંગારચેષ્ટાનું વન વિસ્તારથી કરવામાં આવેલું છે. આવા દાખલાઓમાં કથાનાયકને ધ્રુવે વ્યામાહમાં નાખ્યા હતા, એમ કહીને આ દોષમાંથી ખચી શકાતું નથી; કારણ, રસનિરૂપણ એ જ કવિની પ્રવૃત્તિનેા પ્રધાન હેતુ હોય છે. ઇતિહાસની ઘટનાનું વર્ચુન કરવું એ તા માત્ર એનેા ઉપાય છે, એવું અમે (પહેલા ઉદ્યોતની નવમી કારિકામાં ) “ જેમ સેવાની ઈચ્છાવાળા દીપશિખા માટે પ્રયત્નશીલ અને છે વગેરેમાં પહેલાં કહી ગયા છીએ. "" ઉપરાંત, આ જ ઉદ્યોતની ૧૧ મી કારિકાની વૃત્તિમાં પશુ ભારપૂક કહેવામાં આવ્યું છે કે કવિએ કાવ્ય રચતી વખતે સ ંપૂર્ણ પણે સપરતંત્ર રહીને જ વવું... કવિનું કામ કઈ ઇતિહાસમાત્રનેા નિર્વાહ કરવાનું નથી. અને તેથી ઇતિહાસનું વર્ણન જ પ્રધાન હોય છે ત્યારે અંગ અને અગી એટલે કે ગૌણ અને પ્રધાન ભાવનેા વિચાર
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy