SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ] સંલક્ષ્યમવ્યગ્ય પણ રસાદિને વ્યંજક [ ધ્વન્યાલોક સલીમભ્ય ગ્ય પણ રસાદિને વ્યંજક વળી, ૧૫ ધ્વનિનો સંલયક્રમવ્યંગ્ય નામને જે પ્રભેદ કહ્યો છે, તે પણ કેટલાક પ્રબંધમાં વ્યંગ્યરૂપે પ્રતીત થતું હોય છે. અહીં લે ચનક ૨ એટલું ઉમેરે છે કે વ્યંગ્યરૂપે પ્રતીત થતો એ સંલક્ષ્યક્રમ વનિ રસાદિના બંજકરૂપે પર્યવસાન પામે છે. એની વૃત્તિ આ પ્રમાણે છે: આ વિવક્ષિતાન્યપરાય ધ્વનિને (શહશક્તિમૂલ અને અર્થશક્તિમૂલ એવા) બે પ્રકારવાળે સંલક્ષ્યકમ વ્યંગ્ય નામનો પ્રભેદ કહ્યો છે તે પણ કેટલાક પ્રબંધમાં વ્યંજિત થાય છે. પણ ગ્રંથસ ગતિ સાચવવા માટે કારિકાના પોતે કરેલા અર્થઘટન સાથે મેળ જળવવા લેચનકાર એમાં એટલે ઉમેરો કરે છે કે – અને તે અસલઠ્યક્રમવ્યંગ્ય રસાદિને વ્યંજક બને છે. દા. ત., “મધુમથનવિજય'માંની પાંચજન્યની ઉક્તિઓમાં, અથવા મારા જ “વિષમબાણલીલા” મહાકાવ્યમાં કામદેવના સહચર યૌવનના સમાગમમાં, અથવા, “મહાભારત”માં “ગીધ અને શિયાળના સંવાદ” વગેરેમાં. આ વૃત્તિમાં ઉલ્લેખેલા પ્રસંગો જોતાં આ સ્પષ્ટ થશે. “મધુમથનવિજય'માં પાંચજન્યના ઉક્ત આ પ્રમાણે છે: “રમત વાતમાં દાઢનો અણુ ઉપર આખી પૃથ્વીને ધારણ કરનાર તમારાં અંગે ને આજે કમળના તંતુનું આભૂષણ પણ શાથા ભારે લાગે છે ?” રુકમણીના વિરહથી વ્યાકુળ થયેલા કૃષ્ણ પ્રત્યે આ પાંચજન્યની ઉક્તિ છે. વરાહ અવતારમાં જેમણે આખી પૃને પોતાને દાઢના અણી ઉપર ઉપાડે લીધી હતી તેમને આજે કમળત તુનું આભૂષણ પણ ભારે લાગે છે, એ રુકિમણી પ્રત્યેના કૃષ્ણના અભિલાષ વ્યક્ત કરે છે. એ અહીં લક્ષ્યક્રમ વ્ય ગ્યરૂપે પ્રગટ થાય છે અને પછી વિપ્રલંભશૃંગારરૂપ અસ લક્ષ્યક્રમ વ્યંગ્યનો વ્યંજક બને છે. આમ, અહી સંલક્ષ્યક્રમ વ્યંગ્ય વનિ પતે અસ લક્ષ્યક્રમ વ્યંગ્ય ધ્વનિને અંજક બને છે. -
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy