SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ] યંગ્ય વ્યતિરેકલ કારનું ઉદાહરણ [ ધ્વન્યાલોકઆ ઉદાહરણમાં શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમ ધ્વનિરૂપ વિરોધાલંકાર સ્પષ્ટપણે પ્રગટ થાય છે. વ્યંગ્ય વ્યતિરેકાલંકારનું ઉદાહરણ એ એટલે કે શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમ ધ્વનિરૂપ વ્યતિરેક અલંકાર પણ જોવામાં આવે છે. જેમ કે મારા જ આ શ્લોકમાં – खं येऽत्युज्ज्वलयन्ति लूनतमसो यो पा नखोद्भासिनः, ये पुष्णन्ति सरोरुहश्रियमपि क्षिप्तामभासश्च ये । જે ઈશ્વમણિનઃ ક્ષિતિમૃત જે વામજાનાં પિત્તiस्युत्कामन्त्युभयेऽपि ते दिनपते पादाः श्रिये सन्तु वः ।। [ અંધકારને નાશ કરનાર જે (કિરણે રૂપી) પાદ આકાશને અત્યંત ઉજજવળ બનાવે છે અને જે (ચરણરૂપી) પાદ નથી સુશોભિત (અને આકાશને પ્રકાશિત ન કરનાર) છે, જે (કિરણરૂપે) કમલની શોભાને પણ વધારે છે, અને (ચરણ રૂપે) કમલોની શેભાને તિરરકાર કરે છે, જે પર્વતોનાં શિખરો ઉપર (અથવા રાજાઓનાં માથાં ઉપર) પ્રકાશે છે અને જે દેવનાં (અથવા ચામરનાં) શિરો () ઉપર વિરાજે છે તે સૂર્યનાં (કિરણે અને ચરણરૂપી) બંને પાદ તમારું કલ્યાણ કરો.] આ શ્લોકમાં દેહના ભાગરૂપે ચરણો કરતાં કિરણોનો ઉત્કર્ષ વ્યંજિત ચય છે માટે અહીં લેવમાંથી વ્યતિરેક અલંકારની પ્રતીતિ થાય છે. જેમ કે કિરણ આકાશને પ્રકાશિત કરે છે પણ ચરણો “નખાભાસી' એટલે કે “નખથી શોભતા” અથવા “આકાશને ઉજજવળ ન કરતા” એવા બે અર્થ માંને બીજે અર્થ લઈ કિરણોને ચરણ કરતાં ચડિયાતાં ગણાવ્યા છે. પણ એ વ્યતિરેક અલંકાર અહીં શબ્દથી સાક્ષાત કહેલ નથી, વ્યંજનાથી પ્રતીત થાય છે, એટલે એ શબ્દશક્તિમૂલ સંલયમવ્યંગ્ય વનિનું ઉદાહરણ બને છે. વૃત્તિમાં કહ્યું છે કે – આ રીતે શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિના બીજા પણ (અલંકાર કે વસ્તુ રૂ૫) પ્રકાર હોય છે, તે સહદાએ
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy