SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ] સધ્વનિમાં સ્વીકાય અલકારા [ ધ્વન્યાલાક યેાજના શક્તિશાળી કવિ કરે તેાયે તે પ્રમાદરૂપ જ ગણાય. (૩) જે અલંકાર રસરચનાના આવેશથી આપે।આપ નીવડી આવે, જેને માટે અલગ પ્રયત્ન કરવા ન પડે, તે જ ધ્વનિકાવ્યમાં અલકાર ગણાય. અને એવા અલંકાર બહિરંગ–બહારની વસ્તુ ન ગણાય. (૪) કાઈ વાર યમકાદિ રસયુક્ત જોવામાં આવે છે ત્યાં યમકાદિ જ પ્રધાન હેાય છે, રસ તેનું અંગ હોય છે. (૫) રસાભાસમાં યમકાદિ તેનું અંગ બની શકે છે પણ જ્યાં શૃંગાર પ્રધાન હોય છે ત્યાં તે કદી અંગ બની શકતા નથી. રસધ્વનિમાં સ્વીકાય' અલકારા - આમ, શૃંગારાદિમાં ત્યાજ્ય યમકાદિની વાત કરીને હવે કયા અલકા એને ઉપકારક અને માટે સ્વીકાર્યું બની શકે તેની ચર્ચા શરૂ કરે છે. કહે છે. હવે ધ્વનિના આત્મભૂત શૃંગારના અભિવ્ય ́જક અલકારો રજૂ કરવામાં આવે છે. ૧૭ ધ્વનિના આત્મભૂત શૃંગારમાં જોઈ વિચારીને ચાજવામાં આવ્યા હોય તેા રૂપકાદિ અલંકારો સાક થાય છે. પહેલાં જેમ શૃંગારના દાખલાથી ત્યજવા જેવા અલ કારાની વાત કરી, તે જ રીતે, હવે કયા અલંકારા રસધ્વનિ કાવ્યમાં સ્વીકારવા જેવા છે તે પણ શૃંગારના દાખલાથી જ સમજાવે છે. પણ અહીં ત્યાગસ્વીકારને અંગે જે નિયમેા બતાવે છે તે બધા જ પ્રધાન રસાને લાગુ પડે છે એમ સમજવું. આથી, આ કારિકાના અથ એવા થાય કે પૂરતા વિચાર કરીને ઉદ્દિષ્ટ રસને અભિ−જક હાય એવા અલકારા જો યેાજવામાં આવે તે તે સાચા અલંકાર બની શકે, તેમને લગાડેલું અલંકાર નામ સાક થાય. અલકા વિશે સમજૂતી આપતાં વ્રુત્તિમાં કહે છે કે - - ખાહ્ય અલંકારો સાથેના સાદૃશ્યને કારણે અગી એટલે કે પ્રધાન રસના જે ચારુવસાધક હાય તેમને અલંકાર કહે છે. રૂપકાદિ એ બધા વાચ્યાલ કારા પ્રાચીનાએ ગણાવેલા છે, અથવા અલકારા તેા અનંત છે, એટલે હવે પછી પણ કાઈ કાઈ આલંકારિકા દ્વારા ગણાવવામાં આવશે, તે બધા જ અલંકારા એ
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy