SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યોત ૨-૧૦ ] પ્રસાદના આશ્રય [ ૧ રસામાં રહેલા ગુણા છે. અર્થાત્ મા બંને પ્રકારના શૃંગારમાં અને કરુણમાં તથા ઓજસ રૌદ્ર, વીર અને અદ્ભુતમાં રહેલા ગુણ છે. બાકીના જે ચાર રસા રહ્યા હાસ્ય, ભયાનક, બીભત્સ અને શાંત, તેમાં આ બે ગુણાનું વિવિધ ભાવે મિશ્રણ થયેલુ. હેાય છે. હાસ્ય શૃંગારના અંગ તરીકે આવે છે માટે તેમાં માર્યાં હાય છે અને તે વિકાસધી પણ છે માટે તેમાં એજસ પણ ડાય છે. હાસ્યમાં એ તેનુ ં પ્રમાણુ સરખુ હોય છે. ભયાનકમાં વિભાવે દીપ્તિયુક્ત હાવાથી એજસનું પ્રમાણ વધારે હોય છે ને માનું ઓછું હાય છે. બીભત્સમાં પણ એમ જ હોય છે. શાંત રસમાં વિભાવવૈચિત્ર્યને કારણે કાઈ વાર એજસનું પ્રમાણ વધારે હોય છે તેા કોઈ વાર માનું પ્રમાણ વધારે હેાય છે. રસેામાં ગુણાનું વિભાજન આ રીતે થયેલું છે. હવે ત્રીજા ગુણુ પ્રસાદના સંબંધમાં કહે છે કે પ્રસાદને આશ્રય ૧૦ મધા જ રસાને ભાવકના ચિત્તમાં હૃદયસંવાદપૂર્વક વ્યાપ્ત કરી દેવાના કાવ્યના જે ગુણુ તે પ્રસાદ નામે ઓળખાય છે અને તે ખધી જ રચનાઓમાં સર્વસાધારણ ભાવે કાર્ય કરતા હાય છે. એની સમજૂતી આપતાં વૃત્તિમાં કહે છે કે - — પ્રસાદ એટલે શબ્દની અને અર્થની સ્વચ્છતા. એ બધા જ ગુણ્ણાના સાધારણ ગુણુ છે. તેમ એ બધી જ રચનાઓને પણ સાધારણ ગુણ છે. મતલબ કે બધા જ રસામાં અને બધી જ રચનાઓમાં એ હોવા જોઈએ. માય અને એજસની પેઠે એનું ક્ષેત્ર અમુક રસ કે રચના પૂરતું મર્યાદિત નથી. એટલે એના સંબંધ પ્રધાનપણે વ્યગ્યા સાથે જ હોય છે. પ્રસાદને સમજાવતાં લેાચનકારે કહ્યું છે કે જેમ સૂકાં લાકડાંમાં અગ્નિ અથવા સ્વચ્છ કપડામાં પાણી એકદમ પ્રસરી જાય છે તેમ જેને લીધે કાવ્યને મંઞ રસ ઝપાટાભેર ભાવકના ચિત્તમાં વ્યાપી જાય તે ગુણુનું નામ પ્રસાદ. એ મૂળે તેા રસના જ ગુણ છે, પણ જે શબ્દ અને અર્થાં વ્યંગ્યા તે ઝટ મેાધ કરાવે તેનેા પણ ઉપચારથી એ ગુણુ કહેવાય છે. રસ. ૬
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy