SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ] રસાદિની સમજૂતી [ ધ્વન્યાલેાઢ . એકદમ શાંત થઈ ગયેા. • ઊંઘ્યા તેા નહિ હાય' કહી તેણે ડેાક ખૂબ વાંક કરીને તેના તરફ ફરીને જોયું.” આમાં ડાક ખૂબ વાંકી કરીને જોવાની ક્રિયા દ્વારા વ્યક્ત થતા ઔત્સુકયના ઉદયથી ચમત્કાર આવે છે. ભાવશાંતિનું ઉદાહરણ : પેલીના ગાઢા લેપવાળા સ્તનને આલિંગન કર્યાથી તારી છાતીએ થયેલુ' ચિહ્ન છુપાવવા માટે તું આ પગે પડે છે? ' એવું કહેતાં જ કાં , " > છે ? ' એમ કહીને તરત જ ભૂંસી નાખવા માટે હું તેને એકદમ ભેટી પડયો એટલે તે સુખમાં લીન થઈ જતાં તન્વી તે વાત જ ભૂલી ગઈ.’’ અહીં કાપની શાંતિથી ચમત્કાર પેદા થાય છે. 66 6 ભાવસંધિનું ઉદાહરણ : જેને ગવ જાણીતા છે એવા તપ અને પરાક્રમના નિધિના આવવાથી એક બાજુથી સત્સંગની મીઠાશ અને વીરરસનેા અતિશય ઉત્સાહ મને આકર્ષે છે અને બીજી તરફથી ચેતનને હરી લેતું, હરિચ ંદન અને ચદ્રના જેવુ શીતલ અને સ્નિગ્ધ આનંદદાયી વૈદેહીનું આલિંગન મને રેશકે છે.’ 66 પરશુરામને આવતા જોઈ સીતાથી આલિંગાયેલા રામની આ ઉક્તિ છે. એમાં આવેગ અને હ` નામના એ ભાવાની સહાપસ્થિતિ ચમત્કારક છે. ભાવશખલતાનું ઉદાહરણ : “ ૧. કાં આ અનુચિત કા' અને કયાં ચંદ્રવંશ ! ૨. એ ફરી જોવા મળે ખરી! ૩. અમારું જ્ઞાન તે। દેષની શાંતિ માટે છે; ૪. અહા, કેપમાં પણ તેનું મુખ કેવું કાંતિમાન લાગે છે! ૫. પુણ્યશાળી ધીર પુરુષો શુ કહેશે ? ૬. સ્વપ્ને પણ એ મળવી મુશ્કેલ છે. ૭. હે મન, ધીરું થા. ૮. કયા ભાગ્યશાળી યુવાન એ અધરપાન કરી શકશે?'' ઊવીને જોઈ તે પુરુરવા આ ખેલે છે. એમાં એક એક વાકથથી અનુક્રમે વ્યક્ત થતાં ૧. વિતર્ક, ૨. ઔત્સુકય, ૩. મતિ, ૪. સ્મરણ, ૫. શંકા, ૬. દૈન્ય, ૭. ધૃતિ અને ૮. ચિંતાની સહાપસ્થિતિથી ચમત્કાર પેદા થાય છે. આ બધાને એટલે કે રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, ભાવાય વગેરેના અસલક્ષ્યક્રમ વ્યંગ્યમાં સમાવેશ થાય છે અને એ જ્યારે પ્રધાન હાયછે ત્યારે ધ્વનિ કહેવાય છે.
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy