________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
વનવિહારિ પશુ-પંખિઓ આનંદ લૂંટી શકે છે. એટલે માત્ર એશ આરામ પૂરતી જ આ જીવનની અમૂલ્યતા છે, એવું માનવા ભૂલ કરવી નહિ.
૭૧
આ જીવનની દુર્લભતા તો કેવલ વિવેકી, સંતોષી, વિભૂતિ અને જ્યોતિ રૂપ બની આદર્શ કે દિવ્ય જીવન જીવવા પૂરતી છે. ઉત્તમ વિચારણા, નિર્દોષ વર્તન અને પવિત્ર વાણીના સાદર અમલીકરણમાં જ આ અજોડ જીવનની કિમ્મત છે.
બાકી દિન-રાત કેવલ જો વિલાસ ભોગવવામાં, ખાવાપીવામાં, વિષયવાસના પોષવામાં, એશઆરામમાં મ્હાલવામાં તથા દુર્ધ્યાન કરવામાંજ પસાર થતા હોય, તો માની લેવું ઘટે કેઆકૃતિએ માનવતા હોવા છતાંય મૂર્ત ગુણ રૂપે માનવતાનો એક અંશ સરખોય નથી, કિન્તુ પશુરૂપતા છે.
આથી માનવજીવન પામેલા સુજ્ઞ માનવીની અનિવાર્ય જ છે કે-તેણે સ્વકીય જીવન, કે જે પુનઃદુરાપ છે તે વેડફાઇ ન જાય અથવા હાનિકારક ન બની જાય, કિન્તુ નિયમિત-નિર્દોષનિર્વિકારિ-દિવ્ય-આદર્શભૂત તથા સ્વ-પર શ્રેયસ્કર બને તેની પૂરેપૂરી તકેદારી રાખવી. જો સાવધગીરી ન દાખવી અને ગાફ્સ બની ગફ્લતમાં સુસમય ગુમાવ્યો, તો મળેલી તક ગુમાવી બેસાથે અને પુનઃ તે તક સાંપડવી દુર્લભ થઇ પડશે.
જો માનવજીવનની દુર્લભતા માનસમાં અંકાઇ ગઇ હોય, હૈયામાં કોતરાઇ ગઇ હોય તથા આત્માદર્શમાં આલેખાઇ ગઇ હોય, તો પ્રમાદ કરવાની કે આળસુ બની સમયનો દુર્વ્યય કરવાની કુટેવ ફ્નાવી દેવી ઘટિત છે અને નિયમિત નિર્મળ જીવન નિર્વહવાની જરુર છે.
એ જીવન નિયમી ત્યારે જ બની શકે, કે જ્યારે આત્મા પાપવિમુખ અને ધર્મસમ્મુખ બને, મોહની ખોટી ઘેલછા ત્યજી દે,