SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભા|-3 સુધી ભવોભવ મને ઓઘો મળે ને જે યોગ્ય મહાનુભાવો આવે તેમને આપું. પૈસો, ટકો, બાયડી આપનારા તો ઘણાએ છે. એનો દુકાળ પડવાનો નથી. ભરતક્ષેત્રમાં અને ઐરવત ક્ષેત્રમાં સંપૂર્ણ દુકાળ પડશે, તો અમુક કાળે આનો-સર્વવિરતિ વિગેરેનો પડશે. પેલું-પૈસો ટકો વિગેરે તો અનાદિકાળથી ચાલુ છે અને અનન્તકાળ રહેવાનું છે. સાધુપમામાં રહી એની, એટલે અર્થકામની વાતો કરવી, તે ભાંડચેષ્ટો છે, ભવાઇ વિધા છે. ૫૪ શ્રાવક એટલે મુનિપણાનો ઉમેદવાર. તેનાથી મુનિનું અપમાન કેમ થાય ? હું તો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબનું આમનું કહેલું કહું છું. આવા નિડર બાપની મૂડી બતાવવામાં મને ભય શું ? નહિ લ્યો તો તમે ઠગાશો. સારો વેપારી તો સારો જ માલ બતાવે, એમ જ હું તો સર્વવિરતિ અને સર્વવિરતિ લાવનારાં સાધનો બતાવતો આવ્યો છું અને બતાવીશ. એ ન બતાવું તો શું હીરા બતાવું, કે જે ભૂલે ચૂકે પણ મોમાં મૂકાય તો પ્રાણ જાય ? અર્થ અને કામ બતાવનારો જૈન સાધુ નથી. હવે આપણે આ મહાત્માએ કહેલા સત્તર ગુણની વિચારણા ખડતલ ગુણો ચપળ પહેલું લક્ષણ - સ્ત્રીથી વૈરાગ્ય. સ્ત્રી અનર્થનું ભવન, ચિત્તવાળી, નરકની વાટ સરખી છે. આ સ્વરૂપને જાણનાર એને વશ ન થાય. આ ભાવાર્થ સ્વર્ગસ્થ મહાત્માએ કહેલા શબ્દોનો છે. દરેક ગુણના પ્રથમ એવી રીતે અર્થ કરી વિચારીશું. જેવી રીતે પુરૂષ સ્ત્રીઓને આમ માનવાની છે, તેવી જ રીતે સ્ત્રીઓએ પણ પુરૂષથી વૈરાગ્ય ધારણ કરવો જોઇએ. કરીએ.
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy