SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ચૌદ ગુણસ્થાનક ભાવ-૩ કશો પણ વિકાર કળાવા દેતો નથી તે પુરૂષ કઠણમાં કઠણ કાર્યને જલ્દી સાધી શકે છે. જીવઘાતનો ત્યાગ કરવો એ જ બધા ધર્મ કર્મોને ટકાવી રાખનારૂં મૂળ સાધન છે. મનમાં દ્વેષ-ક્રોધ-મદ-માન-માયા કે મોહભાવને પ્રથમ રાખીને અતિચારોને ન આચરવા. બીજું અણુવ્રત અસત્ય વચનનો ત્યાગ - એક તો સાચી વાતને વા સાચી વસ્તુના સ્વરૂપને ઓળખવા જે કાંઇ બોલવું તે જઠું છે. અને બીજું તદન ખોટું જ બોલવું વા સાચામાં ખોટાનો ગમે તેમ આરોપ કરીને બોલવું તે પણ જુદું જ છે. આ બન્ને પ્રકારનું જુદું ભારે દુષ્ટ છે. અપેક્ષાએ વચન સાચું હોય પરંતુ એવું સત્ય વચન બોલવાથી જીવની હિંસા થતી હોય તો તેવા સત્યવચનને પણ અસત્ય જાણવું. તેમજ હકીકતની અપેક્ષાએ વચન ખોટું હોય છતાં એ પ્રમાણે બોલવાથી જીવની રક્ષા થતી હોય તો તેવું ખોટું વચન. પણ સાચું જ સમજવું. વચન બોલવું પડે તો એવું જ વચન બોલવું કે જે બોલવાથી પોતાને કે પરને કોઇપણ પ્રકારે અંશ માત્ર પણ સંતાપ ન થાય. બીજું અણુવ્રત પારકાનું ધન હરણ કરવું તે ચોરી તેનો ત્યાગ તે. દ્રવ્ય ત્રણ પ્રકારનું છે (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્રા નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે જે મનુષ્ય બુદ્ધિમાન છે તે નીચેની હકીકતોની જાહેરાત ન કરે -
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy