________________
ચૌદ ગુણસ્થાનક માĮ-3
સંખ્યાતગુણ હીન થાય છે અને બીજા કર્મોનો બંધ ક્રમસર અસંખ્યગુણહીન થાય છે. પછી અંતર્મુહૂર્તમાં નપુંસકવેદને શમાવે છે.
૩૫૫
પછી સ્ત્રીવેદનો સંખ્યાતમો ભાગ ઉપશમ પામે ત્યારે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાય આ ત્રણે ઘાતી કર્મોનો બંધ સંખ્યાત વર્ષ પ્રમાણ થાય છે ત્યાર બાદ સંખ્યાતગુણહીનપણે બાંધે છે.
ત્યારબાદ કેવળજ્ઞાનાવરણીય સિવાયની જ્ઞાનાવરણીય ૪ પ્રકૃતિ, કેવળ દર્શનાવરણીય સિવાયની દર્શનાવરણીયની ૩ પ્રકૃતિ અને અંતરાયની પાંચ પ્રકૃતિઓ એમ ૧૨ પ્રકૃતિઓનો ૧ સ્થાનીય રસબંધ કરે છે. આ પ્રકૃતિઓનો રસ સર્વઘાતી કરે છે પણ ક્ષેણીએ ચડેલા જીવો દેશઘાતી રૂપે બાંધે છે.
ત્યારબાદ હજારો સ્થિતિઘાત કર્યાપછી સ્ત્રીવેદને ઉપશમાવે છે. ત્યારપછી હાસ્યાદિક ૬ અને પુરૂષવેદની સાથે ઉપશમના શરૂ કરીને ક્રમસર ઉપશમાવે છે. પછી ક્રોધ-માન-માયા અને બાદર લોભને ઉપશમાવે છે.
બાદરલોભને ઉપશમાવતાં ઉપશમાવતાં લોભવેદન કાળના ત્રણ ભાગ કરે છે. (૧) અશ્વકરણ અહ્વા : એટલે કે આમા અપૂર્વ સ્પર્ધકો કરે છે અને અત્યંત હિનરસવાળા બનાવે છે. (૨) કિટ્ટીકરણ અધ્ધા : આમાં પ્રવેશ કરીને કિટ્ટી કરે છે અને અત્યંત હીન રસ કરે છે તથા વર્ગણાઓમાં મોટું અંતર પાડે છે એટલે રસાણુઓ ૧-૧ ક્રમથી વધતા હોય તેમ ન કરતાં રસાણુઓ સંબંધી મોટું અંતર પાડે છે.
આ બે ભાગ મા ગુણસ્થાનકે હોય છે. આ બે ભાગનો કાળ પૂર્ણ થયે ૯મું ગુણસ્થાનક સમાપ્ત થાય છે ત્યારે કિટ્ટીરૂપ લોભ ઉપશમાવ્યા વગરનો રહે છે અને જીવ ૧૦મા સુક્ષ્મસંપરાય