SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ ચૌદ સ્થાનિક ભાગ-૩ અનંતા રહેલા છે. જે જીવોનું આયુષ્ય અગ્યારમાં ગુણસ્થાનકે પૂર્ણ થઇ જાય તે જો પહેલા સંઘયણવાળા જીવો હોય છે તે મરણ પામી અવશ્ય અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે અને જે બીજા, ત્રીજા સંઘયણવાળા. જીવો હોય છે તે મરણ પામીને વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય છે પણ અનુત્તરમાં ઉત્પન્ન થતાં નથી. આ જીવોને મોહનીય કર્મની અટ્ટાવીશ પ્રવૃતિઓમાંથી એકેય પ્રકૃતિનો ઉદય હોતો નથી પણ સત્તામાં કેટલાક જીવોને મોહનીયની ૨૮ હોય છે. કેટલાક જીવોને અનંતાનુબંધિ ૪ કષાય. વિના ૨૪ની સત્તા હોય છે અને કેટલાક જીવોને દર્શન સપ્તક વિના એકવીશ પ્રકૃતિઓની સત્તા હોય છે. | દર્શન મોહનીયની-સમ્યક્ત્વ મોહનીચ-મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય આ ત્રણની સર્વથા ઉપશમના હોવા છતાં એટલે ઉપશમ હોવા છતાં ત્રણેયનો અંદરો અંદર સંક્રમ ચાલુ હોય છે. એશષ્ણ સોપાન (ઉપશાંતમોહ ગુણસ્થાન) શુદ્ધ હૃદયમાં પરમાત્માનું જ ચિંતવન કરનારા અને આ વિશ્વની ક્ષણિક સ્થિતિને માનનારા મહાનુભાવ આનંદસૂરિ મેઘના જેવી વાણીથી બોલ્યા-ભદ્ર, આ અગીયારમા સોપાન ઉપર દ્રષ્ટિ કર. આ સોપાન ઉપશાંતમોહ નામના ગુણસ્થાનથી ઓળખાય છે. ઉપશમકજ મુનિ ઉપશમ મુર્તિરૂપ સહજ સ્વભાવબલથી સર્વ મોહકર્મને અહિં ઉપશાંત કરે છે, તેથી આ ગુણસ્થાનનું નામ ઉપશાંતમોહ કહેવાય છે. વત્સ, આ સોપાનના દેખાવોનું બારીકપણે અવલોકન કર. આ પગથીઆની અંદર નીચે પડતો ઢાળ રહેલો
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy