SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ 30૮ ચૌદ સ્થાનિક ભાગ-૩ સંભવ છે એમ દેખાડે છે જે આ દેખાવ ઘણી જ ઉત્તમ પ્રકારની સૂચના કરે છે. | મુમુક્ષુએ દીર્ધ વિચાર કરી પ્રશ્ન કર્યો - “ભગવનું, આ ગુણસ્થાનનું નામ પ્રમત્તસંગત છે. તો અહિં ધર્મધ્યાન શી રીતે સંભવે ? અહિં તો આર્ત તથા રીન્દ્ર ધ્યાન હોવા જોઇએ. મારી આ શંકાને કૃપા કરી દૂર કરો.” આનંદસૂરિ આનંદ ધરીને બોલ્યા- “ભદ્ર, તારી શંકા યોગ્ય છે. તેનું સમાધાન એકાગ્રચિત્તે સાંભળ.” આ છઠ્ઠા ગુણસ્થાનમાં મુખ્ય તો આર્ત ધ્યાનજ છે અને તેને લઇને રૌદ્ર ધ્યાનનો પણ સંભવ છે. કારણકે, પ્રમત્તપણાને લઇને અહિં હાસ્ય વગેરે છે નોકષાય પ્રવર્તે છે તથાપિ ગીણપણે અહીં ધર્મધ્યાન પણ રહેલું છે. પરંતુ તે આજ્ઞાદિ સાલંબન ધર્મધ્યાન છે, નિરાલંબન ધર્મધ્યાન નથી. | મુમુક્ષુએ પુનઃ પ્રશ્ન કર્યો - “ભગવન્, એ ધર્મ ધ્યાનના ચાર પાયાનું યથાર્થ સ્વરૂપ મને સમજાવો.” આનંદસૂરિ બોલ્યા- ભદ્ર, ધર્મધ્યાનનો પ્રથમ પાયો આજ્ઞાચિંતન છે. ભવ્ય આત્મા એવું ચિંતવન કરે કે, “સર્વજ્ઞ અહંત પ્રભુએ પ્રવચનદ્વારા જે કાંઇ આજ્ઞા અથવા કથન કરેલ છે તે સત્ય છે. જે વસ્તુનું યથાર્થ સ્વરૂપ મારા સમજવામાં આવતું નથી, તે મારી બુદ્ધિની મંદતા છે, અથવા દુષમકાળનો પ્રભાવ, તેમજ સંશય છેદનાર ગુરૂનો અભાવ ઇત્યાદિ છે, તેમજ અહંત પ્રભુ નિઃસ્વાર્થ, એકાંત હિતકારી અને અમૃષાવાદી છે. તેમણે જે થન કરેલું છે, તે યથાર્થ છે.” આ પ્રમાણે ચિંતવન કરવું, તે ધર્મધ્યાનનો આજ્ઞાવિચય નામે પહેલો પાયો છે. ધર્મધ્યાનનો બીજો પાયો અપાયરિચય નામે છે. તેમાં ભવ્ય જીવ એવું ચિતવન કરે કે, “આ લોકમાં રાગ, દ્વેષ, કષાય વગેરે આશ્રવોથી ઇહલોક પરલોકમાં
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy