SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભા|-3 પિંડાલૂ એ અનન્તકાય વનસ્પતિઓનાં નામ છે, તેમજ સિદ્ધાન્તમાં કહેલાં લક્ષણોની રીતીથી બીજી પણ અનન્તકાય વનસ્પતિઓ જાણવી. (તે લક્ષણો આ પ્રમાણે) જેની સિરા (નસો) ગુપ્ત હોય, સાંધા ગુપ્ત હોય, અને પર્વ (ગ્રન્થિ) પણ ગુપ્ત હોય, તથા ક્ષીરદૂધ સહિત કે દૂધ રહિત એવી જે વનસ્પતિના ભાગવાથી સરખા બે ભાગ થાય, અને છેધા છતાં પુનઃ ઉગે તે સાધારણ શરીર વાળી (એટલે અનન્તકાય) વનસ્પતિ જાણવી. (કર્માદાન કહે છે.) અંગારકર્મ -૧, વન કર્મ -૨, શાટક કર્મ -૩, ભાટક કર્મ -૪ અને સ્ફોટક કર્મ -૫ એ પાંચ સામાન્ય કર્મ વર્જવા તથા હાથીદાંત વિગેરેનો દંત્તવ્યાપાર, લાખ વિગેરેનો વ્યાપાર, તૈલાદિક વિગેરેનો રસવ્યાપાર, પશુઆદિકનો કેશવ્યાપાર, સોમલ આદિકનો વિષ વ્યાપાર, એ પાંચ દંતાદિ સંબંધિ વ્યાપારો પણ વર્જવા તથા એ પ્રમાણે નિશ્ચયે યંત્રપીલનકર્મ, નિર્વાંછન કર્મ (કર્ણર્વધ વિગેરે), દવ દેવો, તળાવ દ્રહ આદિના જળનો શોષ (ખાલી) કરવો તે સરદ્રહ શોષ, અને અસતિપોષણ (દાસદાસીઓનાં વેચાણ માટે પોષણ કરવાં) તે પાંચ મહાકર્મ એ ૧૫ કર્મદાન વવા યોગ્ય છે. (૧) કોયલાની ભઠ્ઠીઓ વિગેરે કહ્યું-ભાટી કર્મ. (૨) વન કપાવવા વિગેરે. (૩) ગાડા વિગેરે કરાવવા. (૪) ભાડાં ઉપજાવવાના આરંભો કરવા. (૫) ખેતી કરવી વિગેરે. કૃતિ સપ્તમંમોનોપમોવિરમળવ્રત્તમ્ || ૭-૭ || || ૮ અનર્થવંવિરમનવ્રત || ૨૪ ઇન્દ્રિયોને અર્થે અને સ્વજનાદિકને અર્થે જે પાપ કરાય તે અર્થદંડ કહેવાય, તેથી અન્ય (એટલે નિષ્પ્રયોજન જે) પાપ કરવું તે અનર્થવંડ કહેવાય. તે અનર્થદંડના ચાર પ્રકાર છે. (૧)
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy