SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ ચૌદ ગુણસ્થાન 5 ભાગ-3 — — — — — — — — — — — — — — સત્ પદાર્થો તેને હિતકારી-યથાસ્થિત પ્રત્યાયન કરાવવા દ્વારા ઉપકારી-જેમકે આત્મા દેહવ્યાપી છે, લોક ચૌદ રજુપ્રમાણ છે. એથી વિપરીત તે અસત્ય-આત્મા નથી, કર્મ નથી, પરલોક નથી; અહિંસા, સંયમ, તપ, બ્રહ્મચર્ય આદિ લદાયી નથી; આત્મા સર્વ વ્યાપી છે; લોક સાત દ્વીપ સમુદ્ર પ્રમાણ છે; ઇત્યાદિ મોક્ષમાર્ગને પ્રતિકૂળ, આરાધનાને અટકાવનાર, તથા પદાર્થોનો વિપરીત બોધ કરાવનારાં વચનો અસત્ય છે. અશોકવન, આમ્રવન, ખરાબ ગામ ઇત્યાદિ મિશ્રભાષા છે. અશોક વનમાં અશોકના વૃક્ષો છે તે અંશમાં સત્ય, અને અશોક સિવાયનાં પણ વૃક્ષો છે તે અંશમાં સત્ય નથી. તે જ રીતે આમ્રવન, ખરાબ ગામ ઇત્યાદિ વાક્યોમાં પણ સત્યાસત્યનું મિશ્રણ હોવાથી મિત્ર છે. ગામ ખરાબ છે એમ કહેવાથી ગામના પ્રત્યેક માણસ ખરાબ છે એમ નહિ, પણ ઘણાખરાં ખરાબ છે, એટલો જ એનો અર્થ છે. વ્યવહાર ચલાવવા માટે કે સ્વરૂપમાત્રનું પ્રતિપાદન કરવા માટે હે ! અરે ! ઇત્યાદિ સંબોધન; આવ ! જા ! ઇત્યાદિ આજ્ઞા; આમ કરવું જોઇએ, આમ ન કરવું જોઇએ ઇત્યાદિ વિધિદર્શાવનાર વાક્યો વ્યવહારભાષા છે. એમાં કોઇ પણ વસ્તુનું પ્રતિષ્ઠાપન, ઉમૂલન કે તે બંનેને કરવાનો ભાવ નથી, કિન્તુ તે સિવાય વ્યવહાર માત્ર ચલાવવાનો એક વિલક્ષણ ભાવ છે. અનુભય-અસત્યામૃષા ભાષાના બાર પ્રકર (૧) આમંત્રણી – શ્રોતૃઅવધાનજનક હે ! અરે ! ભો ! ઇત્યાદિ. (ર) આજ્ઞાપની - કરવા નહિ કરવા સંબંધી આજ્ઞાવચન. (૩) યાચની - ઇચ્છિત પદાર્થની પ્રાર્થના પરક વચન.
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy