SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ચૌદ d[ણસ્થાનક ભાગ-૩ વડીનીતિની સંજ્ઞા ટાળીને પછી “આવસહી' કહી બહાર નીકળવાનું. જ્ઞાનાદિના કારણે ઉપાશ્રયની બહાર ગયા વિના ચાલે તેમ ન હોય, એવો પ્રસંગ આવી લાગે ત્યારે- “આ અવશ્ય કરવા યોગ્ય છે તેથી હું જાઉં છું.” -આ પ્રમાણે ગુરૂ પ્રતિ નિવેદન કરવું, એનું નામ છે- “આવશ્યકી.” (૫) જૈBધિકી - બહારથી આવી મુકામમાં પેસતાં નિસહી કહેવી જોઇએ. એ નિષેધના નિષેધ માટે કહેવી જોઇએ ગુરુની અવગ્રહ ભૂમિનો ઉપભોગ યતનાપૂર્વક અર્થાત્ અસત પ્રવૃત્તિનો ત્યાગ કરીને જ થાય, તો જ તે ઇષ્ટ ફ્લ સાધક બની શકે. મકાન માંથી નીકળતા પેસતાં આવસ્યહી નિસીહી બોલવાનું ખાસ લક્ષ જોઇએ. ઉપાશ્રયની બહાર કરવા યોગ્ય વ્યાપારો પૂર્ણ થઇ જાય. એટલે સાધુ ઉપાશ્રયમાં આવી જાય. એ વખતે ઉપાશ્રયમાં પેસતાં સાધુ નિસિહી બોલે છે. અર્થા-બહારના વ્યાપારના નિષેધ દ્વારા ઉપાશ્રયપ્રવેશની જે સૂચના, એનું નામ છે- “નૈષેલિકી.” (૬) આકરછના - જ્ઞાનાદિની સાધના કરતાં કાંઈ પ્રયોજન ઉપસ્થિત થયે ગુરુને ચા ગુરુસંમત સ્થવિરાદિને તે માટે પૂછવું, રજા માગવી, એ આકચ્છના. એથી (૧) કાર્ય શ્રેયસ્કર બને છે. પ્રશંસાઈ થાય છે, (૨) ગીતાર્થ પાસેથી કાર્યવિધિનું જ્ઞાન મળે છે; (૩) જૈન દર્શનની વિશિષ્ટ વસ્તુ પર બહુમાન વધે છે, “અહો સક્લ જીવહિતકારી આ કેવી સુંદર વસ્તુ જૈન મતમાં બતાવી છે !” ને (૪) ગુરુ અને જિનેશ્વર દેવ પર શ્રદ્ધા વધે છે. (૫) આ શુભ અધ્યવસાય રૂપ હોવાથી મહાન મંગળ છે તેથી જે કાર્ય માટે પૂછવા ગયા તે કાર્યની આડેના વિગ્ન એથી દૂર થાય છે, તેમજ (૬) શુભ અનુબંધ યાને લાભોનો પ્રવાહ ઊભો થાય છે. આવા વિશિષ્ટ લાભ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy