SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ પુણસ્થાનક ભાગ-૩ ૧૬૧ — — — — — — — — — — — — — — સારી રીતિએ સુરક્ષિત રાખી શકે છે. ક્રોધ પણ એક મોહનીયનો. જ પ્રકાર છે. ક્રોધાધીન આત્મા ભાનભૂલો બનીને ન બોલવાનું પણ બોલી નાંખે છે. મહામાની આત્માઓ આ ક્રોધથી ભાગ્યે જ બચી શકે છે. શાસનના વિરોધ સમયે શાંતિની વાતો કરનારા. જ્યારે પોતાના વિરોધથી ઉકળી ઉઠતા દેખાય, ત્યારે સમજવું જરૂરી છે કે-એવાઓ શાસનના સેવક નથી પણ પોતાની જાતના માનના સેવક છે આવાઓ વિધિ મુજબના પ્રશસ્ત કષાયને પોતાના બનાવી, એના દ્વારા શાસનની સેવાથી નિર્જરા નહિ સાધી શકે, પણ અપ્રશસ્ત કષાયોની ઉપાસનાથી કારમાં બંધને બાંધી શકશે. અસત્યના ખંડન અને સત્યના મંડન ઉપર એવાઓ એટલો પ્રેમ નથી ધરતા, કે જેટલો એવાઓ પોતાની નામનાનો પ્રેમ ધરે છે. પોતાની નામના ઉપર આવી પડતા નહિ જેવા ઘાથી પણ જેઓ ગરમાગરમ થાય છે, તેઓ જ્યારે શાસન ઉપર આવતા કારમા ઘા સમયે પણ શાંતિની વાતો કરે છે, ત્યારે ખરે જ તેઓની કુટિલતાભરી સન્માનપ્રિયતા ઝળકી ઉઠે છે. પ્રશસ્ત ક્રોધ એ સત્યનો પક્ષપાતી હોય છે, ત્યારે અપ્રશસ્ત ક્રોધ એ અસત્યનો પક્ષપાતી હોય છે. અપ્રશસ્ત ક્રોધ અસત્યનો પક્ષપાતી હોઇ, આત્માને ભાનભૂલો બનાવી અસત્ય બોલતો પણ બનાવી દે છે ! આથી, બીજા મહાવ્રતના રક્ષણની અભિલાષાવાળાએ, એનો પરિત્યાગ કરવો એ પણ અતિશય હિતાવહ છે. આવી ભાવનામાં એકરસ જેવા બની જવું જોઇએ. આવી ભાવનાના ભાવિતપણાના પ્રતાપે, અપ્રશસ્ત ક્રોધ સ્વપ્રમાં પણ નહિ આવે; અને કદાચ આવી પણ જશે તોપણ તેનાથી ઉગરી જતાં પ્રાયઃ વાર નહિ લાગે. આવી દશા, બીજા મહાવ્રતના પાલકને માટે કેટલી બધી હિતાવહ છે, એમ બીજા મહાવ્રતના પ્રેમીને જ સમજાય તેમ છે. આ દશા વિના બીજા મહાવ્રતનું નિરતિચાર પાલન, એ અશક્ય વસ્તુ છે. આથી
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy