SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૮૫ મોહનીયનો ઉદય થવાનો હોય તો એ જીવને અંતઃકરણ કાળનો એક સમય અથવા છ આવલિકા કાળ બાકી રહે અથવા ઉપશમ સમકીતનો એક સમયનો કાળ અથવા છ આવલિકા જેટલો કાળા બાકી રહે ત્યારે જીવને અવશ્ય અનંતાનુબંધિ કષાય નો ઉદય (વિપાકોદય) પેદા થાય છે. આ મિથ્યાત્વ વગરના અનંતાનુબંધિ કષાયના ઉદયવાળા કાળને સાસ્વાદન ગુણસ્થાનક એટલે બીજું ગુણસ્થાનક પામ્યો એમ કહેવાય છે. આ સાસ્વાદન ગુણસ્થાનકનો એક સમયનો અથવા છ આવલિકાનો કાળ પૂર્ણ થયે જીવને મિથ્યાત્વનો ઉદય અવશ્ય થાય છે એટલે અશુધ્ધ પુદ્ગલોનો ઉદય અવશ્ય થાય છે એટલે જીવ મિથ્યાત્વ ગુણ સ્થાનકને (પહેલા ગુણસ્થાનકને) પામે છે. આ કાર્મગ્રંથિક મતના આધારે જાણવું એટલે કે કર્મગ્રંથને માનનારા આચાર્યોના મતે જાણવું. જ્યારે સિધ્ધાંતને માનનારા આચાર્યોને મતે એટલે સિધ્ધાંતિક મતે કાર્મગ્રંથીક મતની જેમ શુધ્ધ યથાપ્રવૃત્તકરણને પામીને અપૂર્વકરણ નામના અધ્યવસાયને પ્રાપ્ત કરી ગ્રંથીભેદ કરે અને એ ગ્રંથભેદ થતાંની સાથેજ જીવ સત્તામાં રહેલી ત્રીજી સ્થિતિ અને બીજી સ્થિતિના પુદ્ગલોના ત્રણ વિભાગ કરી શુધ્ધપુજ-અર્ધશુદ્ધપુંજ અને અશુધ્ધ પુંજ રૂપે સમ્યત્વ મોહનીય- મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય રૂપે પુદ્ગલો બનાવે છે. એ બનાવ્યા પછી એક અંતર્મુહૂર્તનો કાળ અપૂર્વકરણનો પૂર્ણ કરી અનિવૃત્તિકરણ નામના પરિણામને પ્રાપ્ત કરે છે એ કાળમાં એ જીવ ત્રણ પુજના પુદ્ગલામાંથી આ અનિવૃત્તિકરણનો કાળ પૂર્ણ થયે શુધ્ધપુંજ રૂપ સમ્યક્ત્વ મોહનીયના પુદ્ગલો ઉદયમાં આવે એ રીતે પ્રયત્ન કરે છે અને એ અનિવૃત્તિકરણનો કાળપૂર્ણ થયે અવશ્ય સમ્યકત્વ મોહનીય ઉદયમાં આવતાં જીવ ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ કરે છે. એમાં કેટલાક આચાર્યોનું કહેવું આવું છે કે જો કોઇ જીવ પુરૂષાર્થમાં કાચો હોય એટલે આટલા સત્વવાળો
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy