SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ४७ સામગ્રીવાળા જીવોને જૂએ છે અને તેને વધારવામાં-સાચવવામાંટકાવવામાં અને એ પદાર્થો ન ચાલ્યા જાય એના માટે મહેનત કરતાં જૂએ છે એટલે અંતરમાં થાય છે કે જે પદાર્થો અહીં મુકીને જવાના છે કદાચ પુચ પુરૂં થાય તો વહેલા ચાલ્યા જવાના છે અને જે પદાર્થો સુખની અનુભૂતિ કરાવે એવા નથી એવા પદાર્થોમાં સુખની બુદ્ધિ રાખીને આ બચારા જીવો અહીંયા ય દુખી થાય છે-દુખ ભોગવે છે અને ભવાંતરમાં પણ દુઃખી થશે એટલે દુઃખ ભોગવવા ચાલ્યા જશે એમ અંતરમાં દયાનો પરિણામ પેદા થાય છે. આ દયાના કારણે વિચાર કરે છે કે આ જીવોને, મને જે સુખની અનુભૂતિ થયેલી છે એ સુખની અનુભૂતિ જો પેદા થઇ જાય તો આ જીવો સુખી થઇ જાય. આથી એના પરિચયમાં જે જે જીવો આવતા હોય તે જીવોને એ સુખ એટલે જે તમને વર્તમાનમાં મળેલું છે તે કેવા પ્રકારનું છે એ પોતાની શક્તિ મુજબ સમજાવે છે અને સાચુ સુખ કેવું છે કેવા પ્રકારનું હોય છે તેનું વર્ણન કરીને સાચા સુખને મેળવવા માટેની ઇચ્છા પેદા કરાવવા પ્રયત્ન કરતો જાય છે. વિચારો ! દુનિયાનું ભૌતિક સુખ તમને કેવા પ્રકારનું લાગે છે ? આ ભૌતિક સુખમાં સુખ માનીને જીવો છો તેમાં તમને તમારી દયા આવે છે ખરી ? જ્યાં સુધી ધર્મવૃત્તિ કરતાં કરતાં પણ ભૌતિક સુખના પદાર્થોમાં સુખની બુદ્ધિ છે એની દયા નહિ આવે ત્યાં સુધી સાચા સુખની ઇચ્છા થવાની નથી અને એ ઇચ્છા પેદા ન થાય ત્યાં સુધી એ સાચા સુખની આંશિક અનુભૂતિ પણ ક્યાંથી થાય ? માટે જ્ઞાનીઓ કહે છે કે આપણને આપણા આત્માની દયા આવે છે ખરી ? બીજા જીવોની દયા કરીએ છીએ તે ક્યા પ્રકારની કરીએ છીએ માત્ર રોગ વગેરે દૂર કરવાની દુ:ખની સામગ્રી મળેલી છે તે નાશ થાય અને ભૌતિક સામગ્રીને પામે એટલી જ દયા બીજાની આવે છે કે એ આત્મા ભૌતિક સામગ્રીમાં જે સુખ માને છે તે માન્યતા દૂર કરીને સાચા સુખમાં
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy