SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨, ૨૫૫ - - - - - - - - - - - - - - - આત્માનો અતિ મલિન રાગ-દ્વેષરૂપ પરિણામ સમજવાનો છે. વિશેષાવશ્યકમાં પણ કહ્યું છે કે "गंठित्ति सुदुमओ, कक्खडधणरुढगंट्ठिव । जीवस्स कम्मजणिओ, घणरागदोसपरिणामो ||" "અર્થાત :- કઠોર, નિબિડ અને અતિશય મજબૂત કાષ્ઠાદિકની ગાંઠની પેઠે દુર્ભેદ્ય એવો કર્યજનિત જીવનો ગાઢ રાગ-દ્વેષરૂપ પરિણામ તે “ગ્રન્થિ' છે. આ ગ્રન્યિ ચાર અનન્તાનુબંધી કષાયોના સમુદાયરૂપ છે. પ્રન્થિની સમીપ આવેલા જીવોનું વર્તન : આપણે ઉપર જોઇ ગયા તેમ આ ગ્રન્થિની સમીપ આવેલા જીવોનું વર્તન વિવિધ પ્રકારનું છે. જેમકે-કેટલાક જીવો રાગદ્વેષને વશ થઇને આ ગ્રન્થિથી પાછા હઠે છે, એટલે કે-તેઓ ક્રીથી દીર્થ સ્થિતિવાળાં કમબાંધે છે અને કેટલાકપ્રથમ કરણયુક્ત થઇને ત્યાં જ રહે છે ઃ અર્થાત તેઓ અમુક કાળ પર્યત એક પલ્યોપમના અસંખ્યાતા ભાગથી ધૂન એવી એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળાં કર્મો બાંધે છે, એટલે કે-એનાથી જૂનાધિક સ્થિતિવાળાં કર્મો તેઓ બાંધતા નથી. “અમુક કાળ પર્વત’ એમ કહેવાનું કારણ એ છે કે-આ ગ્રન્થિદેશમાં આવેલો ભવ્ય કે અભવ્ય જીવ ત્યાં ને ત્યાં ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી જ રહે, પરંતુ હંમેશને માટે ત્યાંજ રહે નહિ. કેમકે-આટલા કાળ દરમ્યાન જે ભવ્યજીવ હોય તે કાં તો ગ્રન્થિ ભેદે અથવા તો અભવ્યની માફ્ટ ત્યાંથી પાછો . આથી જોઇ શકાય છે કેયથાપ્રવૃત્તિકરણની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતકાળની છે, નહિ કે અનન્તકાળની. ગ્રન્થિદેશમાં રહેલા કેટલાક જીવો તીક્ષ્ણ ધારવાળા કુહાડા સરખા આત્માના અપૂર્વ પરિણામની મદદથી તે દુર્ભધ ગ્રન્થિને
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy