SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ વીતરાગ અને સર્વજ્ઞ બન્યા પછી એ તારકોએ પોતે આચરેલા ઉપાયનું જગતના જીવોને દર્શન કરાવ્યું. વિચાર કરો કે-શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બન્યા પછી એ તારકોએ જે ઉપાય બતાવ્યો, તેમાં એક અંશેય અસત્યને કે શંકાસ્થાનને અવકાશ જ ક્યાંથી મળે ? આ વાતને સમજનારને એમ જ થાય ને કે તે જ સાચું અને શંકા વિનાનું છે, કે જે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપ્યું છે ! સર્વના કલ્યાણની ઉત્કટ ભાવદયાથી શ્રી તીર્થંકર-નામકર્મની નિકાચના કરનારા એ તારકો, શ્રી તીર્થંકર-નામકર્મના ઉદયે કલ્યાણનો સાચો ઉપાય બતાવીને પણ અટક્યા નહિ. એ તારકોએ શાસનની સ્થાપના કરી. શા માટે શાસનની સ્થાપના કરી ? જગતમાં પોતે અવિધમાન હોય ત્યારે પણ કલ્યાણના કામી આત્માઓ એ ઉપાયને પામી અને સેવી શકે તથા પોતાની વિધમાનતાના સમયમાં પણપોતે જ્યાં જ્યાં વિચરતા હોય અને પોતે જ્યાં જ્યાં ન વિચરતા હોય, ત્યાં ત્યાં પણ લ્યાણના કામી આત્માઓ એ ઉપાયને પામી અને સેવી શકે ! આ દેવી-તેવી પરોપકારપરાયણતા છે ? નહિ જ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આવી પરોપકારપરાયણતાનો જેને સાચો ખ્યાલ આવે, તે એ તારકોના ગુણોથી આકર્ષાઇને જેમ એ તારકોની સેવા કરવાને તલસે છે, તેમ પોતે એ તારકોના ઉપકાર નીચે કેટલો બધો આવેલો છે-એવા કૃતજ્ઞતાના ખ્યાલથી પણ એ; એ તારકોની સેવા કરવાને તલસે છે. ભાવભક્તિ અને દ્રવ્યભક્તિઃ એવા આત્માઓને એમ પણ લાગે છે કે-મોક્ષમાર્ગના સ્થાપક ભગવાન શ્રી જિનેશ્વરદેવો પોતાના નામથી, પોતાની સ્થાપનાથી, પોતાના દ્રવ્યથી અગર પોતાના ભાવથી પણ સઘળાય ક્ષેત્રોમાં અને સઘળા કાળમાં ત્રણે જગતના જીવોને પવિત્ર કરનારા છે.
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy