SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૧૦૭ પ્રતાપ તમને જૈન કુળ મળ્યું છે, એનો છે. તમને જો જૈન કુળ ના મળ્યું હોત, તો તમે શ્રી જિનશાસને ઉપદેશેલા કૃતધર્મની અને ચારિત્રધર્મની દ્રવ્યથી પણ આંશિક આરાધના કરનારા બનત શી રીતિએ ? જેન કુળ મળ્યા વિના આવી સ્થિતિ પ્રાપ્ત ન જ થાય - એવું એકાન્ત કહી શકાય નહિ, પણ જૈન કુળ મળ્યા વિના આવી. સ્થિતિ પ્રાપ્ત થવી, એ મોટે ભાગે તો અસંભવિત ગણાય ને ? તમને તમારી આ ભાગ્યશાલિતા, ભાગ્યશાલિતા રૂપે લાગે છે ખરી ? ગ્રન્થિદેશને પામેલા જીવ માટે પુરૂષાર્થનો અવસર : તમને તમારી ભાગ્યશાલિતાની આ બધી વાતો કહીને પણ ભલામણ તો એ જ કરવાની છે કે-તમે તમારી ભાગ્યશાલિતાને હવે સારામાં સારી રીતિએ સર્દી બનાવનારા નીવડો ! તમે તમારી આ ભાગ્યશાલિતાનો એવો સદુપયોગ કરનારા બનો, કે જેથી તમારી ભાગ્યશાલિતામાં ઉત્તરોત્તર અભિવૃદ્ધિ થવા પામે. ગ્રન્થિદેશને પામવા જેગી અને તેની સાથે શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મને દ્રવ્યપણે પણ અમુક અંશે પામવા જોગી ભાગ્યશાલિતાને પામેલા આત્માઓ, જો ધારે તો પુરૂષાર્થને ફોરવીને, સમ્યગ્દર્શનાદિ આત્મગુણોને પ્રગટાવવાને સમર્થ બની શકે, એવો આ અવસર છે. આવી ભાગ્યશાલિતાને પામેલાઓને માટે, એટલે કે-ગ્રન્થિદેશે આવીને દ્રવ્યથી શ્રી જિનધર્મના આચરણને પામેલા આત્માઓને માટે, પુરૂષાર્થનો આ અવસર છે, એમ કહી શકાય. અહીં એવું છે કે અહીં આવેલો જે કોઈ જીવા પુરૂષાર્થ કરવાને તત્પર બને અને પુરૂષાર્થને ફોરવે, તે જીવ, અનાદિકાલથી સંસારમાં પરિભ્રમણ કર્યા કરતાં તેણે જેવી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય નહિ, તેવી સિદ્ધિને પ્રાપ્ત કરી શકે. ગ્રન્થિદેશે પહોંચવા જોગી અવસ્થા, જેવી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય નહિ, તેવી
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy