SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ સ. આવો નિશ્ચય થઇ જાય તો આપત્તિના સમયમાં દીનતા ન જ આવે, એ દેખીતી વાત છે. એ જ કારણે એવા વાસ્તવિક નિશ્ચયને અપનાવી લેવો એ ખૂબ જ જરૂરી છે. ધર્મના અર્થી આત્માને માટે આવો નિશ્ચય એ કાંઇ મુશ્કેલ નથી. સહર્મની પ્રાપ્તિ અને સદ્ધર્મના પાલન માટે લોકપ્રિય બનવા ઇચ્છતો આત્મા આવો નિશ્ચય ઘણી જ સહેલાઇથી કરી શકે છે, આપત્તિ જો કરેલ પાપના ઉદયનું જ પરિણામ છે, તો પછી એસમયે દીનતાનો આશ્રય લેવો એ ઘણું જ અયોગ્ય છે. કરેલ પાપની સજા ભોગવાઇ વાથી એ પાપ અનેક પાપોને લઇને જાય છે, પણ શરત એટલી કે-એ પાપનો ભોગવટો કરતાં આવડવું જોઇએ. પાપના ઉદયથી આવી પડેલી આપત્તિને સમભાવથી સહાય અને પાપના વિપાકનો વિચાર કરી સદાય પાપથી પર રહેવાના ભાવમાં રમાય, તો ઉદયમાં આવેલ પાપર્મની તો નિર્જરા થાય જ છે, પણ એની સાથે અન્ય પણ અનેક પાપકર્મોની નિર્જરા થાય છે. મહાપુરૂષો તો આપત્તિના પ્રસંગને કર્મક્ષયનો પ્રસંગ માની, ખૂબ જ પ્રસન્નતા અનુભવે છે. એવી પ્રસન્નતા ભોગવવાની તાકાત આપણામાં ન હોય, તો પણ આપણે, કમથી ક્મ દીનતાથી તો બચી જ જ્યું. . આપત્તિ સહવાનું સામર્થ્ય તો હોવું જોઇએ ને ? સામર્થ્ય ન હોય તો કેળવવું જોઇએ. તમે એમ કહી શકશો કેઆપત્તિ આવે ત્યારે હાયવોય કરવા માત્રથી આપત્તિ ભાગી જાય છે ? સ. એમ તો નહિ, પણ તેના નિવારણ માટે ઉપાયો તો કરવા જોઇએ ને ? એવા ઉપાયો કરવા પડે, તો પણ એ ઉપાયો એવા તો ન જ હોવા જોઇએ ને કે-જે ઉપાયો આચરવાથી ભવિષ્યની આપત્તિ ખૂબ ખૂબ વધી જાય ? ૨૫૨ સ. નહિ જ. વળી નિવારણના ઉપાયો આચરવા પડે, તો પણ દીન શા માટે
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy