SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અપવાદને પેદા કરનારાં નિધ કાર્યોનો ત્યાગ કેવળ અપવાદના ડરે જ કરવાનો છે એમ નથી, પણ અહીં એની પ્રધાનતા છે એમ સમજ્જાનું છે. શિષ્ટ લોકમાં અપવાદ થાય, એ ધર્મી અગર તો ધર્મના અર્થી આત્માને પસંદ હોય જ નહિ, એટલે લોકાપવાદભીરૂતા એ પણ એક જાતિનો સદાચાર જ છે. એ સદાચારને સેવનારો આત્મા કાંઇક પણ સારી મનોવૃત્તિને ધરનારો હોય જ છે અને એથી તેનામાં બીજા પણ અનેક સદાચાર સહેલાઇથી આવે બીજે સદાચાર-દીનોદ્ધારનો આદર : લોકપવાદભીરતા' એ જેમ પહેલો સદાચાર છે, તેમ “દીન અને અનાથોનો ઉદ્ધાર કરવામાં આદર' એ બીજો સદાચાર છે. “લોકપ્રિયતા ગુણને મેળવવા માટે આ સદાચાર પણ કેટલો જરૂરી છે, એ વિચક્ષણોને રામજાવવાની જરૂર પડે એમ લાગતું નથી. દીન અને અનાથ એવા આત્માઓ ઉપર ઉપકાર કરવાની, એટલે કે-એવાઓ દીનદશા અને અનાથદશાથી પર થઇ જાય એમ કરવાની મનોદશા ત્યાગ રૂપ દાનના સેવકની અને ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયના ઉપાસકની ન હોય, એ બનવા જોગ જ નથી. જેઓ આજે પોતાની જાતને ધર્મી મનાવે છે અને શકિતસંપન્ન છે, તેઓમાંના પણ જ્યારે દીનો અને અનાથો તરફ ધૃણાભરી નજરે જોતા જોવાય છે, ત્યારે તો તેઓ શાણા આત્માની દ્રષ્ટિએ ઘણી જ કનિષ્ઠ કોટિના ભાસે છે. દીન અને અનાથો એ જાણે માણસો જ ન હોય, એવું વર્તત એ માણસજાતને ન છાજે એવો એક ભયંકર જાતિનો અનાચાર જ છે. દીન અને અનાથ દશાને ભોગવતા આત્માઓની દીનદશા અને અનાથદશા જેઓનું હૃદય પીગળાવતી નથી, એવા આત્માઓ ધર્મની પ્રાપ્તિ માટે લાયક હોય એ સંભવતું નથી. એવા નિર્દય આત્માઓ શિષ્ટ લોકોમાં પ્રિય બને, એ કલ્પના જ વાહીયાત છે. દીનો અને અનાથોને જોઇને આર્ટ હૃદયવાળા બનવાને બદલે જેઓ તિરસ્કારયુકત બને છે, તેઓ માણસો નથી પણ માણસના રૂપમાં રહેલા ભયંકર જાતિના રાક્ષસો છે, એમ કહેવું
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy