SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ૨૧૧ ક્ષમાનું સેવન થવું, એ શકય નથી. સાચા આસ્તિકય વિના આવા અનુપમ વચનો પણ હિતકર નિવડતાં નથી. શાસ્ત્રીય વચનો પણ હિતકર રીતિએ સમજાવા માટે માર્ગાનુસારી ક્ષયોપશમની આવશ્યકતા છે. સુંદર જાતિના ક્ષયોપશમ વિના શાસ્ત્રીય વચનોનો સાચો ખ્યાલ આવવો એ જ અસંભવિત છે. પોતાની જ પત્ની, રસ્તામાં, પોતાના પિતાને ઘેર પાછા જવાની એક લાલસાથી કુવામાં ફેંકી દઇને ચાલી જાય, એવા સમયે પણ કારમો ગુસ્સો આવવાના બદલે, ઉપાધ્યાયના વચનનો અમલ થવો અને પોતાના આત્માને ક્ષમાશીલ બનાવવાજોગ ઉમદા વિચારો આવવા, એ નાનીસૂની વાત નથી. વિજય પોતાના આત્માને સમજાવે છે કે-અશુભના ઉદયે કુવામાં પડવું પડ્યું. હવે એના પરિણામે કોપ કરવો, એ તો આ શરીરને બાળવા જવું છે અને પુનઃ અશુભનું ઉપાન કરવાનો જ પ્રયત્ન કરવા બરોબર છે. મારો કુવામાં પડવાનો બનાવ, એ કોઇ વિના કારણે જ બનેલો બનાવ છે એમ નથી, પણ મારા પૂર્વના પાપનું જ એ પરિણામ છે-એ વાત વિજયના હૃદયમાં બરાબર આવી જાય છે. કાર્યના વાસ્તવિક કારણનો આવો વિચાર, એ માર્ગાનુસારી વિચારણા વિના આવવો જ મુશ્કેલ છે. આવા ઉમદા વિચાર માટે વિવેકની આવશ્યકતા છે, એમ કોઇને પણ લાગ્યા વિના રહે તેમ નથી. “વર્તમાન અપરાધ રૂપ કે ગુણ. રૂપ બનાવ, એમાં અન્ય તો નિમિત્ત માત્ર જ હોય છે, પણ વાસ્તવિક રીતિએ એ પરિણામ પોતાનાં જ પૂર્વે કરેલાં કર્મોનું જ છે.' –આવો અનુપમ ખ્યાલ, યોગ્ય આત્માઓમાં જ જન્મે છે. વિજયના અંતરમાં આ ખ્યાલે ઘણી જ સહેલાઇથી જભ્યો, એ એના આત્માની નિર્મલતાનો જ પ્રભાવ માનવો રહ્યો. સામાન્ય આત્મા આવા પ્રસંગે સામાના દોષને જ પ્રધાનતા આપી, સ્વ-પરનું કારમું અહિત આચરી નાખે છે, ત્યારે વિવેકી આત્મા આવા પ્રસંગે પોતાનો દોષ જોઇને પોતાનું તથા પરનું અહિત ન થવા દેતાં, સ્વ-પરનું સાચું હિત સધાય એવો માર્ગ અખત્યાર કરે છે.
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy