SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ભગવાન કાર વિલિકાઓમાં ધર્મ કરે તો તેનામાં મોલતુક ધર્મરાગ હોય જ નહિ, માત્ર સંસારરાગ જ હોય. આથી જ્ઞાનિઓએ અચરમાવર્ત કાલને ભવબાલ-કાલ અને ચરમાવર્ત કાલને ધર્મયૌવન-કાળ કહો છે. ધર્મયૌવન કાળમાં સંસારરાગ ન જ હોયએમ નહિ, પણ આ કાળમાં આત્મામાં નાના પ્રકારનો ધર્મરાગ પણ પ્રગટી શકે છે. ચરમાવર્ત કાળમાં સાચો ધર્મરાગ પ્રગટવામાં કાળ બાધક નિવડતો નથી, છતાં સાચા ધર્મનો સાચો રાગ તો એ આવર્તનો અધ્ધો ભાગ વીત્યા બાદ જ પ્રગટી શકે છે. સાચા ધર્મનો સાચો રાગ પ્રગતાં પૂર્વે પણ જીવમાં મોક્ષના હેતુવાનો ધર્મરાગ આદિ ઘણું પ્રગટી શકે છે અને તે ચરમાવત હાલમાં જ પ્રગટી શકે છે, માટે ચરમાવતી કાલને જ્ઞાનિઓએ ધર્મયૌવન ફળ કહ્યો છે. પરમ ઉપકારી, સુવિહિતશિરોમણિ, સમર્થ શાસકાર, આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલી વીસ વિંશિકાઓ પૈકીની પહેલી ચાર વિશિકાઓમાં મુખ્ય મુખ્ય કયી કયી બાબતો છે તે આપણે જોઇ આવ્યા અને તેને અંગે આપણે કેટલીક પ્રાસંગિક વિચારણા પણ કરી આવ્યા. હવે પાંચમી વિશકામાં મુખ્ય વિષય કયો છે, તે આપણે જોઇએ. પાંચમી વિશિકાનું નામ છે - “બીજાદિ-વિશિકા' આ નામ જ એમ સૂચવે છે કે-આ વિશિકામાં મુખ્ય વિષય બીજાદિ સંબધી છે. ચોથી ચરમપરિવર્ત-વિશિકા' પછી જ આ પાંચમી બીજાદિ-વિશિકા કેમ રચવામાં આવી છે, તેનો ખુલાસો પણ આ વિંશિકામાંથી મળી રહે છે. ચોથી વિશિકાની મુખ્ય બાબતનું અવલોકન કરતાં, આપણે એ વાત વિચારી આવ્યા છીએ કે ભવિતવ્યતા, સ્વભાવ, કર્મ, કાલ અને પુરૂષાર્થ, આ પાંચ કારણોના સમાગમ વિના જીવની કોઇ પણ પ્રકારની કાર્યસિદ્ધિ થઈ શકતી નથી. આ પાંચ કારણો પૈકીનું કોઇ પણ એકાદિ કારણ પ્રધાન હોય અને શેષ કારણો ગૌણ હોય એ બને, પણ દરેકે દરેક કાર્યસિદ્ધિ આ પાંચેય કારણોના સમાગમે જ શકય બને છે. આ વિશિકામાં શુદ્ધ ધર્મરૂપ કલ્પવૃક્ષના બીજ આદિના સ્વરૂપનું વર્ણન કર્યા પછી, આ બીજની સંપત્તિ પણ કેટલીક પ્રા
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy