SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. [ શ્રી વિજયપધસૂરિકૃતજિનનામ કર્મને બંધ વિગેરે લાભ મેળવી શકે છે. ક્રિયાનું વિશેષ સ્વરૂપ શ્રી આવશ્યક નિર્યુક્તિ, દેશના ચિંતામણી વિગેરેમાં જણાવ્યું છે, આ બીનાને યાદ રાખીને ભવ્ય જીએ ક્રિયાપદની નિર્મલ આરાધના ત્રિકરણ યોગે કરવી. ૧૪ શ્રીપ પદ–જેમ અગ્નિના તાપથી સેનામાં રહેલે મેલ બળી જાય છે અને તેથી તે સોનું શુદ્ધ કુંદન બને છે તેવી રીતે શાસ્ત્રમાં કહેલા બાહ્ય અભ્યન્તર તપનું બહુમાન સહિત ક્ષમા સહિત નિનિદાન સેવન કરવાથી આત્માને વળગેલાં ચીકણું કર્મો નાશ પામે છે એટલું જ નહિ, પરંતુ જીવે બાંધેલા જે નિકાચીત કર્મો એટલે જે કર્મો અવશ્ય રદયથી ભોગવવી પડે તેવા છે તે કર્મો પણ નાશ પામી જાય છે એટલે તપની સાત્વિકી આરાધના કરવાથી આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે. તપને આ પ્રભાવ જાણીને તીર્થકર દેવોએ તથા ગણધર મહારાજાઓએ તપ કરવાને ખાસ ઉપદેશ કર્યો છે અને તે તારક મહર્ષિ ભગવંતોએ પિતે પણ આદર પૂર્વક અનેક પ્રકારનાં તપ આચર્યા (ક્ય) છે. તપની મદદથી જ સંયમની નિર્મલ સાધના થઈ શકે છે એમ શ્રી ભગવતીજીના સંકળ તવા ૩ મામાળે વિરુ” આ વચનથી જાણી શકાય છે. આવી ભાવનાથી તપ પદની સાધના કરનારા ભવ્ય છ તીર્થકર પદવીને પણ પામી શકે છે. વિશેષ બીના શ્રી સિદ્ધચક્ર પૂજામાં જણાવી છે. આવા વિચારથી ત્રિકરણ ઘેગે આ તપ પદની આરાધના પરમ ઉલ્લાસથી કરવી. ૧૫ શ્રી ગૌતમ પદ–શ્રી ગૌતમ સ્વામી છઠ્ઠ
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy