SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૮ [ શ્રી વિજયપધસૂરિકૃતપબ્દાર્થ આ લેકમાં કવિએ કિંમતી શરીરને લેકે દુરૂપયોગ કરી દુઃખ મેળવે છે તે બીના સ્પષ્ટ કરીને સમજાવી છે, કારણ કે આ મનુષ્ય દેહ વડે સમ્ય દર્શન જ્ઞાન ચારિત્રનાં ધર્માનુષ્ઠાન કરવામાં આવે તે એ જ સાત ધાતુઓને બનેલ અને દૂધમય પણ આ મનુષ્ય દેહ (ઔદારિક શરીર) મોક્ષને પણ આપનારો થાય છે, કારણ કે આ દેહ વડે ભૂતકાળમાં અનન્ત ભવ્યાત્માઓએ પરમ નિર્વાણ સુખ સાધ્યું છે, અને વર્તમાન કાળમાં પણ ઘણું ચારિત્રધારી મુનિ મહાત્માઓ પાંચ મહાવિદેહમાં આ દેહ વડે મેક્ષ સુખ મેળવે છે. અને પાંચ ભરત પાંચ અરવત એ ક્ષેત્રમાં મોક્ષ સુખ હાલ જે કેનથી મેળવતા તે પણ વૈમાનિક દેવ રૂપી સદ્ગતિ તે અવશ્ય મેળવે છે. અને ભવિષ્યમાં પણ (અહીં પણ) અનંત આત્માઓ આ મનુષ્ય દેહને ધર્મમાં જેડી મોક્ષ સુખને પામશે. આવા મોક્ષ સુખને પણ આપનારા મનુષ્ય દેહની જે મોહમૂદ્ધ આત્માએ ખરી કિમત અથવા ખરે સદુપયેગ સમજતા નથી તેઓ તે ફક્ત પાંચ ઈન્દ્રિયના રતિભર (બહુ જ ચેડા) વિષય સુખમાં જ આ દેહને દુરૂગ કરે છે, માટે જ કઈ વૈરાગ્યવંત ભવ્ય જીવ પોતાના મિત્રને પોતાની મેહાંધતાને માટે પસ્તા કરતાં કહે છે કે-હે મિત્ર! મારી કેટલી મુખઈYકે આ શરીર સર્વ રીતે જે કે મલિનતા વાળું છે, કારણ કે મૂત્ર વિષ્ટ ચરબી રૂધિર આદિ અપવિત્ર પદાર્થોથી જ ભરપૂર છે, છતાં જે આ શરીરને મેં ધર્માનુષ્ઠાનેમાં જેડયું હેત એટલે આ શરીર વડે તીર્થયાત્રાઓ કરી હેત, દેવપૂજા ગુરૂપૂજા કરી
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy