SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ xa તીર્થકર સ્થાપના જયારે પદાર્થ માત્રમાં નામ-૨સ્થાપના-દ્રવ્ય અને ભાવ ના ચારે નિક્ષેપાઓ બરાબર લાગુ પડી શકતા હોય. તો પછી તીર્થંકર પ૨માત્માની પણ સ્થાપના શા માટે નહી ? યદ્યપિ ભરતક્ષેત્રમાં અત્યારે એકેય તીર્થંકર પરમાત્મા નથી. તો પણ સાધક માત્ર પોતાના આત્મક અધ્યવસાયમાં તીર્થંક૨ પ૨માત્માની કલ્પના કરી, મૂર્તિમાં તેમની સ્થાપના કરી શકવાને માટે પૂર્ણ અધિકારી છે. જેમ કે :- પોતાના ઉપકારી માતાપિતા અત્યારે વિધમાન હોય. પણ ક્યારેય સાધકને જયારે પોતાના જીવનના મહાઉપકારી માતાપિતાની સ્મૃતિ થઈ આવે, ત્યારે તેમની તસ્વી૨ બનાવીને કે બનાવરાવીને તેમાં પોતાના માતાપિતાની કલ્પના કરાય છે અને તેમના ચરણે પુષ્પ, ધૂપ, દીપ, લાપસી, પેંડા આદિ મૂકીને તેમની ભકિત કર્યાનો સંતોષ માને છે. આવા પ્રકારનો સંતોષ, છલના નથી, અજ્ઞાન નથી, અથવા મિથ્યાત્વનો પ્રકાર પણ નથી. પ૨જુ માતાપિતાના ફોટાના માધ્યમથી તેમની આંત ઋત્યસ્વરૂપ છે. હૈયાના ભાવ ન કલ્પી શકાય તેવા હોવાથી, ઉપકારીનો ઉપકાર જયારે સ્મૃતિમાં આવે ત્યારે ભકત શાભર તે ભાગ્યશાળી શકય પ્રયત્ન કરીને આત્મસંતોષ માને છે. તેવી જ રીતે અપાર સંસા૨માં ૨ખડપટ્ટી કરતાં આ જીવને પણ કોઈક સમયે તીર્થકર પરમાત્મઓનો ઉપકાર સ્મૃતિમાં આવે છે, ત્યારે શુદ્ધ ભાવે
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy