SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ જવાના કારણે શિષ્ટશિષ્યને શરમ થશે કે, મેં આ શું કરું ? (૨) મારા પ૨મોપકારી ગુરૂદેવોના વિનયમાં હું કેટલો બેદ૨કા૨ ૨હ્યો હવે મારું શું થશે ? (૩) કોઈની પણ ખાનગી - ૨હસ્ય ભરી વાતોને પ્રમાદ વશ બની બીજાને શા માટે કરી ? મારા પ્રત્યે વિશ્વાસ રાખનારાઓની ખાનગી વાતો પ્રગટ કરી તેનું કેવું અને કેટલું બધું કટુ પરિણામ આવ્યું ? (૪) વડિલ કલાચાર્ય, ઉપાધ્યાય, શિક્ષક આદિની ધર્મ પત્નીઓ સાથે આવું કુકર્મ મેં શા માટે કર્યું ? તેમને ખબર પડશે તો મારી કંઈ દશા થશે ? અથવા મારા આ કુકૃત્યને બીજા કોઈ જાણી જશે તો, માથું નીચે કર્યા વિના મારા માટે બીજા કયો માર્ગ ? આમાં ટીકારારે એક કથાનક આ પ્રમાણે મૂક્યું છે કે કોઈ દેશનો કે કોઈ જાતનો આવો રીવાજ હશે. જેથી પોતાની પુત્રવધુની પ્રથમ શંત્રના સમાગમ પછી ૨કતથી ખરડાયેલ વસ્ત્રને તેનો સાશે ઘેર ઘેર દેખાડતો કહે છે કે જુઓ આ મારી પુત્રવધુ કેવી અક્ષત યોનવાળી છે. જયારે નવવધુ શરમ ને લઈ ઘરમાં સંતાઈ જાય છે. અને બોલે છે કેઆવો અભદ્ર લૌકિક વ્યવહા૨ શા માટે ? અને પોતાની સહિયરને કહે છે, હું તો લાજે મરૂં છું ઈત્યાદી
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy