SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તેમના ઘણા શિષ્યોમાં શાસન દીપક પ્રભાવશાળી વક્તા, અહિંસા ધર્મના પ્રચારક, સત્યનિષ્ઠ, શિક્ષણના પક્ષપાતી ઉપરાંત આગમ, સાહિત્ય, ઈતિહાસ, તત્ત્વજ્ઞાન નાટક આદિ ઘણા ગન્થોના લેખક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ. જેઓ ભારત દેશના ખ્યાતનામ મહાપુરૂષોમાં એક હતાં. માટે ગુરૂદેવના માનમાં તે સમયના કરાંચીના ગવર્નરે એકમાસને માટે પછી ચાહે ગમે તેટલા પુસ્તકો ૨જીસ્ટરમાં, બુકપોસ્ટમાં તથા તા૨ ટપાલ આદિનો પોસ્ટ ચાર્જ ૨૮ કર્યો હતો. વ્યકિતત્વ -વકતૃત્વ સંયમપૂર્ણ હોવાથી ઈતિહાસના પાને શુક્રના તારાની જેમ ચમકેલા પૂ. ગુરૂદેવને ભૂરે ભૂરે ભાવ વન્દના. વિ. સં. ૧૪ ના માગશર સુદ ૧૦ ના દિવસે સિન્ધપ્રાન્તસ્થ કરાંચી નગરે અત્યારના પૂ. પંન્યાસજી શ્રી પૂર્ણનન્દ વિજયજી મ. (કુમા૨ શ્રમણ)ને દીક્ષા આપી હતી. તે સમયે ભારત દેશ પ૨ બ્રિટીશ રાજય હતુ. પઠનશીલ મુનિરાજ શ્રી અપ્રમાદી બન્યા અને ન્યાય વ્યાકરણ તથા કાવ્ય તીર્થની પરીક્ષામાં ઉતીર્ણ થયા. ઘણાઓના પાઠક પણ બન્યા. દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ ભગવતી સૂત્ર પ૨ વિશદ વ્યાખ્યા કરી ચારભાગમાં તથા પ્રસ્ત વ્યાકરણ (દશમાંગ)ને પણ વિચિત કરી શ્રત ભંક્તના પાકા રશિયા બનેલા તે પંચાસથી એ આ પ્રસ્તુત આગમ અનુયોગ દ્વા૨ સૂત્ર પણ પ્રકાશિત કરી. સંઘના કરકમળોમાં અર્પિત કર્યો છે. આ વી રીતે આગમ સાહિત્યની સેવા કરનારા પૂ. પંન્યાસશ્રીને પણ ભાવ વન્દના કરી વિરામ પામું છું. – લે. પં. અમૃતલાલ તારાચંદ શેશી. વ્યાકરણ તીર્થ. ભાંડુપ (વેસ્ટ)
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy