SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ મૂળકા૨ણ શરીર છે, માટે, પાપ જનક, પાપ ફળક અને પાપવર્ધક શરીરને કંટ્રોલમાં લેવા માટે કાયોત્સર્ગ વિના શી રીતે ચાલશે ? આટલું છતાં પણ ફરીથી શરીર, મન, ઈન્દ્રિયો અને આત્માને પાપમાર્ગે ન જવા દેવામાં પ્રત્યાખ્યાનની અત્યાવશ્યકતા શી રીતે નકારી શકાશે ? માટે જ છ આવશ્યકો યજ્ઞદત્ત અને દેવદત્તની જેમ અસંલ્લંઘત નથી. પણ સંબંધવાળા હોવાથી સામયક થાવત્ પ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન સામયિક સાથે સમાહિત છે, યુકત છે, ક્ષમાયુકત છે. તેવી રીતે એક સ્થાને મૂકેલી લોખંડની શલાકાઓને એક બીજા સાથે તમાત્ર અપેક્ષા ન હોવાથી નિરપેક્ષ છે. પણ શામયિકાદ છ આવશ્યકો, પ૨૫૨ સાપેક્ષ છે. એટલે એક બીજાની અપેક્ષા રાખનારા છે, આવશ્યકો મનાયા છે. જેમકે:- ચતુર્વિશતિ એટલે લોગસ્સ સૂત્રથી ચોવિશ ભગવંતો ને ભાવ વંદના ક૨વીજ હોય તો સામાયિક દ્વારા પાપોના દ્વાર બંધ કરવાની આવશ્યકતા રહેલી છે, અને જે ગુરુદેવે જૈનત્વ અને જૈન શાસનની ઓળખાણ કરાવી છે. તેમને વન્દના ક૨વાનો અભૂત પૂર્વ આનન્દ ચતુર્વિશત તવન વિના પ્રાપ્ત થઈ શકે તેમ નથી, કેમ કે ગુરુદેવના અનન્ત ઉપકા યાદ કરી તેમને વન્દના કરવા માટે આત્મામાં શંકત વિશેષની પ્રાપ્ત ચૌવિશ ભગવંતોને વન્દન કર્યા વિના થઈ શકે તેમ નથી. માટે જ પ્રતિક્રમણ
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy