SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાનકમાં મોહનીયકર્મ કચ્છી આઠમું ગુણસ્થાનક ક્ષાયિક અથવા ઉપશમ સમકિતીને જ હોય છે. પરંતુ ક્ષયોપશમ સમ્યકત્વીને ન હોય તેથી સમ. મોહ. ના ઉદયવાળી ચોવીસી આઠમા ગુણસ્થાને ન સંભવે. ૯ મું ગુણસ્થાન બંધસ્થાન : ૫ (પનું, ૪નું, ૩નું, રનું, ૧નું) બંધભાંગા: ૫ ઉદયસ્થાન: ૨ (૨નું, ૧નું) ૯માં ગુણઠાણે ૫ના બંધમાં સંજવલન ચારમાંથી એક કષાય અને ત્રણ વેદમાંથી એક વેદ એ પ્રમાણે રનું ઉદયસ્થાન સંભવે છે અને ૪ આદિ બંધમાં કષાયનો ઉદય હોય છે. પરંતુ વેદનો ઉદય ન હોય તેથી ૧નું ઉદયસ્થાન સંભવે છે. અહીં ગુણસ્થાનને આશ્રયી છે. માટે ચાર વિ. બંધસ્થાનમાં એકેક પ્રકૃતિના ઉદયવાળા ૪ ઉદયભાંગા સંભવે તેથી દિકોદયના ૧૨ અને એકોદયના ૪ એ પ્રમાણે ૯માં ગુણઠાણે ૧૬ ઉદયભાંગા થાય. બંધસ્થાન કષાય વેદ ઉદયસ્થાન ઉદયભાંગા પદવૃંદ પનું ૧ ૧ ૨ ૪,૩,૨,૧નું ૧ ૦ ૧ ૪ ૪ અહીં ગુણસ્થાનકની વિવક્ષાએ ઉદયભાંગા હોવાથી ચાર, ત્રણ, બે એકના બંધમાં ૧ કષાયનો ઉદય હોય, તેના ૪ વિકલ્પ કષાયના હોવાથી એકના ઉદયના ચાર ભાંગા ગણ્યા છે. બંધસ્થાનક વાર સામાન્ય સંવેધની જેમ ઉદયભાંગાની વિવક્ષા કરી નથી. एगं सुहुमसरागो, वेएइ अवेअगा भवे सेसा । भंगाणं च पमाणं, पुवुद्दिद्वेण नायव्वं ॥५१।। ગાથાર્થ સૂક્ષ્મસંપરાયવાળો એક પ્રકૃતિને વેદે અને શેષ (૧૧-૧ર-૧૩-૧૪) ગુણસ્થાનવાળા અવેદક હોય છે. ભાંગાનું પ્રમાણ પૂર્વે જણાવ્યા મુજબ જાણવું ૫૧ ૧૦ મા ગુણઠાણે કિટ્ટકૃત લોભને વેદે છે. તેથી એકનું ઉદયસ્થાન અને એક ઉદયભાંગો હોય છે. એ પ્રમાણે એકાદયના નવમા અને દશમા ગુણ.ના કુલ પાંચ ભાંગા થાય છે. ઉપશાના મોહ વિગેરે ચાર ગુણઠાણે મોહનીયનો ઉદય હોતો નથી તેથી તેઓ મોહનીયના અવેદક છે. ૧૫૯
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy